/connect-gujarat/media/post_banners/e23890aa256c2bdb1e1e46566544fd6e1d621a6ac1f2c2e8018767bddc3a886e.jpg)
આજે વિશ્વ જળ દિવસે, ત્યારે આજે ભરૂચની કે.જે.પોલિટેકનિક કોલેજનો પાણીનો પ્રશ્ન ઉકેલાયો છે. ભર ઉનાળે વિધાર્થીઓ પાણી માટે વલખાં મારતા હતા, જેને પગલે પાણીની પરબોને સુધારી વિદ્યાર્થીઓને પાણીની સુવિધા આપવામાં આવી છે.
ભરૂચ શહેરની કે.જે.પોલીટેકનીક કોલેજમાં વિદ્યાર્થીઓ માટે વિવિધ વિભાગોમાં 7 જેટલી પાણીની પરબો આવેલી છે. પરંતુ તમામ પાણીની પરબો અત્યંત બિસ્માર અને તેના નળ પણ તૂટેલી અવસ્થામાં જોવા મળ્યા હતા. જેના કારણે વિદ્યાર્થીઓને ભર ઉનાળે પીવાના પાણી માટે વલખાં મારવાનો વારો આવ્યો હતો. આ સાથે જ વિદ્યાર્થીઓને પીવાનું પાણી બહારથી લાવવાની ફરજ પડી હતી. સમગ્ર મામલે વિદ્યાર્થીઓએ ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.
કે.જે.પોલીટેકનિક કોલેજના વિદ્યાર્થીઓને પીવાના પાણીની સમસ્યા તંત્ર સુધી પહોંચાડવાના મિડિયાએ પ્રયાસો કરતા આજે પ્રશ્ન ઉકેલાયો છે. આજરોજ કોલેજના સત્તાધીશોએ સંકુલમાં બિસ્માર બનેલી પાણીની 7 જેટલી પરબની તાત્કાલિક મરામત કરાવી હતી, ત્યારે આજે વિશ્વ જળ દિવસે વિદ્યાર્થીઓને ઠંડા પાણીની સુવિધા પૂરી પાડવા બદલ વિદ્યાર્થીઓએ કોલેજ પ્રશાસનનો આભાર માન્યો હતો.