ભરૂચ: આમોદના દોરા ગામે તળાવમાં ડૂબી જતા એક વ્યક્તિનું મોત, પોલીસે તપાસ શરૂ કરી

મૃતદેહ તળાવના પાણીમાંથી જ મળી આવ્યો હતો.

New Update
ભરૂચ: આમોદના દોરા ગામે તળાવમાં ડૂબી જતા એક વ્યક્તિનું મોત, પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના આમોદના દોરા ગામે આવેલ તળાવમાં ગતરોજ મોડી સાંજે 44 વર્ષીય ઇન્દરસિંહ ચૌહાણ ડૂબી ગયા હતા.આ અંગેની જાણ ગ્રામજનોએ ફાયર વિભાગને કરતા કરજણ અને ભરૂચ નગર સેવા સદનના ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતદેહની શોધખોળ શરૂ કરી હતી.

જે બાદ આજરોજ સવારના સમયે તેઓનો મૃતદેહ તળાવના પાણીમાંથી જ મળી આવ્યો હતો.બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને સરકારી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

અંકલેશ્વર: NH 48 પર ટ્રાફિકજામની રોજિંદી સમસ્યા, બિસ્માર માર્ગોના પગલે સમસ્યા

અંકલેશ્વર નેશનલ હાઇવે પર  આમલાખાડી પરના બિસ્માર બ્રિજ અને હાઇવેનો માર્ગ ખખડધજ બનતા સતત ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અંકલેશ્વર નેશનલ હાઇવે

New Update
MixCollage-09-Jul-2025-08-21-PM-8778

અંકલેશ્વર નેશનલ હાઇવે પર  આમલાખાડી પરના બિસ્માર બ્રિજ અને હાઇવેનો માર્ગ ખખડધજ બનતા સતત ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ આમલાખાડી પરનો બ્રિજ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બન્યો છે.બીજી તરફ ચોમાસુ જામતા જ હાઇવે પર ખાડાઓની ભરમાર છે.તેવામાં રોજેરોજ ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે.વાહનોનું ભારણ અને બ્રિજ જર્જરિત,રસ્તા પર ખાડાઓ પડતા વાહન ચાલકો પોતાનો કિંમતી સમય સાથે ઇંધણ બગાડી રહ્યા છે.દિવસે દિવસે માથાના દુખાવા સમાન બનેલ આ ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં આવે તે જરૂરી છે.તંત્ર યોગ્ય નિરાકરણ લાવે એવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે