ભરૂચ : ધાણી-ખજૂર સહિત રંગો-પિચકારીના ભાવમાં આંશિક વધારો, હોળી પૂર્વે ઘરાકી નીકળે તેવી વેપારીઓને આશા...

હોળી-ધુળેટી પર્વને આડે હવે 1 દિવસ જ બાકી રહ્યો છે, ત્યારે ભરૂચ શહેર તથા જીલ્લામાં ઠેર ઠેર ધાણી-ખજૂર સહિત રંગો અને પિચકારીના સ્ટોલ લાગ્યા છે.

New Update
ભરૂચ : ધાણી-ખજૂર સહિત રંગો-પિચકારીના ભાવમાં આંશિક વધારો, હોળી પૂર્વે ઘરાકી નીકળે તેવી વેપારીઓને આશા...

હોળી-ધુળેટી પર્વને આડે હવે 1 દિવસ જ બાકી રહ્યો છે, ત્યારે ભરૂચ શહેર તથા જીલ્લામાં ઠેર ઠેર ધાણી-ખજૂર સહિત રંગો અને પિચકારીના સ્ટોલ લાગ્યા છે. જોકે, મંદીના માહોલ વચ્ચે પણ લોકોમાં તહેવારની ઉજવણી માટે ઉત્સાહ જોવા મળ્યો છે.

આગામી તા. 24 અને 25 માર્ચના રોજ રંગોનો પર્વ હોળી-ધુળેટી આવી રહ્યો છે, ત્યારે ભરૂચ શહેર તથા જીલ્લામાં ઠેર ઠેર ધાણી-ખજૂર સહિત રંગો અને પિચકારીના સ્ટોલ જોવા મળી રહ્યા છે. જોકે, આ વર્ષે હોળી ધુળેટી પર્વ નિમિત્તે ધાણી-ખજૂર સહિત રંગો અને પિચકારીના ભાવમાં આંશિક વધારો થયો છે. ખાસ કરીને હોલિકા પૂજન માટે ધાણી અને ખજૂરની વિશેષ પ્રમાણમાં માગ રહેતી હોય છે, અને શાસ્ત્ર અનુસાર તમામ હિન્દુ સમાજના લોકો હોલિકાની પ્રદક્ષિણા કરી ધાણી અને ખજૂર હોલિકામાં હોમી પરિવારમાં સુખ-શાંતિ રહે તે માટે પ્રાર્થના કરતા હોય છે. જેના માટે તમામ લોકો ધાણી ખજૂરની ખરીદી અચૂક કરે છે, ત્યારે આ વર્ષે ધાણી અને ખજૂરના ભાવમાં ગત વર્ષ કરતા બમણો વધારો થયો છે. તો બીજી તરફ, હોળીના તહેવારમાં રંગ અને પિચકારીના વેપારીઓએ પણ પોતાની દુકાન હોળીની ઉજવણીના માલ સામાન ભરી સજાવી છે. હોળીના કલરના ભાવો અને પિચકારીના ભાવમાં પણ 20થી 25 ટકાનો વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, હોળીના તહેવારને હવે એક દિવસ આડે છે, છતાં દુકાનમાં ઘરાકી ન નીકળતા વેપારીઓની ચિંતામાં વધારો થયો છે. તો બીજી તરફ, અંતિમ દિવસોમાં બજારમાં ઘરાકી નીકળે તેવી વેપારીઓ આશા સેવી રહ્યા છે.

Read the Next Article

ભરૂચ : જિલ્લા જેલમાંથી આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીની 14 વર્ષ બાદ વહેલી મુક્તિથી પરિવારજનોમાં ખુશી

 ભરૂચ જિલ્લા જેલ ખાતે મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદી (કેદી ક્રમાંક 35359) નવીન ઝીણાભાઈ પટેલને રાજ્ય સરકારના નિર્ણય મુજબ આજે વહેલી મુક્તિ મળી હતી.

New Update

આજીવન કેળના કેદીની મુક્તિ

14 વર્ષ બાદ જેલમાંથી મળી મુક્તિ

જેલ અધિક્ષક દ્વારા કરવામાં આવી કાર્યવાહી

સારા વર્તનથી જેલમાંથી મળી મુક્તિ

પરિવારજનોમાં સર્જાયા લાગણીસભર દ્રશ્યો

ભરૂચ જિલ્લા જેલ ખાતે મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદી (કેદી ક્રમાંક 35359) નવીન ઝીણાભાઈ પટેલને રાજ્ય સરકારના નિર્ણય મુજબ આજે વહેલી મુક્તિ મળી હતી. તેમણે અત્યાર સુધી 14 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવ્યા હતા અને સમગ્ર અવધિ દરમિયાન તેમનું વર્તન ઉત્તમ રહ્યું હતું.

જેલ અધિક્ષકે જણાવ્યું હતું કેભારતીય ન્યાય સંહિતા (B.N.S.S.)ની કલમ-473 મુજબ પાત્રતા ધરાવતા કેદીની વહેલી મુક્તિ માટે જેલ અધિક્ષક વી.એમ.ચાવડાએ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સંબંધિત અધિકારીઓ અને જેલ સલાહકાર સમિતિ પાસેથી હકારાત્મક અભિપ્રાય મેળવી સરકારને દરખાસ્ત મોકલવામાં આવી હતી. રાજ્ય સરકારે બાકી રહેલી સજા માફ કરી તેમને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.જેલ બહાર આવતા જ નવીન  પટેલને મળવા તેમના પરિવારજનો અને સ્નેહીજનો હાજર રહ્યા હતા. લાંબા વિરામ પછી મળતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા અને ખુશીની લહેર જોવા મળી હતી.જેલ અધિક્ષકે તેમને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવીને વિદાય આપી હતી.