ભરૂચના જુના તવરા ગામે લીલાગરી માતાજીના મંદિરના પાંચમાં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ તાલુકાના જુના તવરા ગામે નરસંગભાઇ મેલાભાઈ વસાવા મુન્ના ભગતના ધરે લીલાગરી માતાજી ભેંસાસુર મહારાજ અને ઝોપડી માતાજીના મંદિરના આજે પાંચમા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ સાથે જ સવારે 8:00 કલાકે નવચંડી યજ્ઞ, સાંજે 4:00 કલાકે શ્રીફળ હવન સાંજે 6:00 કલાકે મહાપ્રસાદી અને રાત્રે નવ કલાકે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. લોક ડાયરામાં લોકગાયક કમલેશ બારોટ ભજનોની રમઝટ બોલાવશે
ભરૂચ: જુના તવરા ગામે લીલાગરી માતાજીના મંદિરના પાટોત્સવની ઉજવણી, ધાર્મિક કાર્યક્રમો યોજાયા
ભરૂચના જુના તવરા ગામે લીલાગરી માતાજીના મંદિરના પાંચમાં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
New Update