New Update
/connect-gujarat/media/post_banners/61b00315bff00d12481e1306b8cc73383ac49415b62794dc9135e4a2ac1d6b86.jpg)
આગામી રમઝાન ઈદના પર્વને અનુલક્ષીને જંબુસર ખાતે પોલીસ દ્વારા શાંતિસમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચના જંબુસરમાં આગામી ઈદના પર્વને લઈ જંબુસર પોલીસ સ્ટેશન ખાતે પી. આઈ. એ. વી.પાનમીયાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં જંબુસર નગરના મુસ્લિમ તથા હિન્દુ સમાજના આગેવાનો આ શાંતિસમિતિની બેઠકમાં જોડાયા હતા. આગામી સમયમાં યોજનાર ઈદ પર્વ શાંતિમય રીતે અને ભાઈચારાથી ઉજવાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જંબુસર પી.આઈ દ્વારા આગેવાનોને અપીલ કરવામાં આવી હતી.
Latest Stories