ભરૂચ: જંબુસરમાં પોલીસ દ્વારા શાંતિસમિતિની બેઠકનું આયોજન, રમઝાન ઈદના પર્વને અનુલક્ષી પોલીસની કવાયત
આગામી રમઝાન ઈદના પર્વને અનુલક્ષીને જંબુસર ખાતે પોલીસ દ્વારા શાંતિસમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
BY Connect Gujarat Desk9 April 2024 6:30 AM GMT
X
Connect Gujarat Desk9 April 2024 6:30 AM GMT
આગામી રમઝાન ઈદના પર્વને અનુલક્ષીને જંબુસર ખાતે પોલીસ દ્વારા શાંતિસમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચના જંબુસરમાં આગામી ઈદના પર્વને લઈ જંબુસર પોલીસ સ્ટેશન ખાતે પી. આઈ. એ. વી.પાનમીયાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં જંબુસર નગરના મુસ્લિમ તથા હિન્દુ સમાજના આગેવાનો આ શાંતિસમિતિની બેઠકમાં જોડાયા હતા. આગામી સમયમાં યોજનાર ઈદ પર્વ શાંતિમય રીતે અને ભાઈચારાથી ઉજવાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જંબુસર પી.આઈ દ્વારા આગેવાનોને અપીલ કરવામાં આવી હતી.
Next Story