ભરૂચ : આમોદમાં દુર્ગંધ મારતી અને પ્રદુષણ ફેલાવતી પાલિકાની કચરાપેટીથી લોકો ત્રાહીમામ...

આમોદ નગરપાલિકાના પાપે થઈ રહે છે પ્રજા પરેશાન કાછીયાવાડમાં કચરાપેટી સાફ નહીં થતાં લોકો પરેશાન પ્રજાને આરોગ્યલક્ષી સુવિધા આપવા પાલિકા તંત્ર વામણું

New Update
ભરૂચ : આમોદમાં દુર્ગંધ મારતી અને પ્રદુષણ ફેલાવતી પાલિકાની કચરાપેટીથી લોકો ત્રાહીમામ...

ભરૂચ જિલ્લાના આમોદ નગરમાં આવેલા કાછીયાવાડ વિસ્તારના રહીશો દુર્ગંધ મારતી અને પ્રદુષણ ફેલાવતી કચરાપેટીથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આ વિસ્તારના રહીશોએ અનેક વખત પાલિકા તંત્રને જાણ કરી હોવા છતાં કચરાપેટી ખાલી કરવા કે, ઉપાડવામાં ન આવતી હોવાથી લોકોના સ્વાસ્થય સામે સવાલો ઉભા થયા છે.

સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પાલિકા તંત્રને વારંવાર લેખિત રજુઆત કરવા છતાં કચરાપેટી સાફ કરવામાં આવતી નથી. જેથી પાલિકાના અણઘડ વહીવટથી લોકો પરેશાન બન્યા છે. ભારત સરકારની ઓનલાઈન સ્વચ્છતા એપ્લિકેશન ઉપર પણ ફરિયાદ કરવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી. છેલ્લા 7 દિવસમાં અરજીનો નિકાલ કરવાનો હોય છે, પરંતુ હજુ સુધી નિકાલ થયો નથી. આ ઉપરાંત કચરાપેટી પાસે ઇલેક્ટ્રિક થાંભલો પણ આવેલો છે, ત્યારે કચરાપેટીમાં રહેલો કચરો સળગતા મોટા અકસ્માતનો પણ ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે.

Read the Next Article

ભરૂચ: જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, 4 તાલુકામાં સરેરાશ 2 ઇંચ વરસાદ

ભરૂચ શહેર અને જિલ્લામાં ફરી એકવાર ચોમાસુ જામ્યું છે ત્યારે અવિરત વરસાદ વરસી રહ્યો છે. રવિવારના રોજ પણ સમગ્ર દિવસ દરમિયાન ભરૂચ જિલ્લાના તમામ નવ

New Update
fdf

ભરૂચ શહેર અને જિલ્લામાં ફરી એકવાર ચોમાસુ જામ્યું છે ત્યારે અવિરત વરસાદ વરસી રહ્યો છે. રવિવારના રોજ પણ સમગ્ર દિવસ દરમિયાન ભરૂચ જિલ્લાના તમામ નવ તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

ભરૂચ જિલ્લામાં વરસાદના તાલુકામાં આંકડા પર નજર કરીએ તો જંબુસર 1 ઇંચ,આમોદ 14 મી.મી.,વાગરા 2.5 ઈંચ,ભરૂચ 16 મી.મી.,ઝઘડિયા 2 ઇંચ,અંકલેશ્વર 11 મી.મી.,હાંસોટ 2 ઇંચવાલિયા 2 ઇંચ,નેત્રંગમાં 18 મી.મી.વરસાદ નોંધાયો હતો