ભરૂચ: બકરી ઈદના તહેવાર પર ગૌવંશના કતલ પર રોક લગાવવાની માંગ, અખિલ ભારતીય હિન્દુ મહાસભા દ્વારા પાઠવાયુ આવેદનપત્ર

ભરૂચ અખિલ ભારતીય હિન્દુ મહાસભા દ્વારા બકરી ઈદના તહેવારને લઈ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ

New Update
ભરૂચ: બકરી ઈદના તહેવાર પર ગૌવંશના કતલ પર રોક લગાવવાની માંગ, અખિલ ભારતીય હિન્દુ મહાસભા દ્વારા પાઠવાયુ આવેદનપત્ર

ભરૂચ અખિલ ભારતીય હિન્દુ મહાસભા દ્વારા બકરી ઈદના તહેવારને લઈ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ

Advertisment

અખિલ ભારતીય મહાસભા દ્વારા ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવી જણાવવામાં આવ્યું હતું કે આવનાર બકરી ઇદના તહેવારમાં ગૌવંશ સહિતના પશુઓની ગેરકાયદેસર હેરાફેરી, કતલ માટે પશુઓના જાહેર રસ્તાઓ ઉપર વેચાણની પ્રવૃતિ તેમજ દુકાનોમાં, રહેણાંકના મકાનોમાં, ફ્લેટોમાં સોસાયટીઓમાં, જાહેર રસ્તાઓ ઉપર ખુલ્લેઆમ ચાલતી ગેરકાયદેસર કતલની પ્રવૃતિઓના કારણે જાહેર સુલેહ - શાંતીનો ભંગ થાય તેવી પણ શક્યતાઓ છે.જેથી વિવિધ કાયદાઓની જોગવાઇ તેમજ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આવી પ્રવૃત્તિ પર રોક લગાવવાની માંગ કરવામાં આવી છે

Read the Next Article

ભરૂચ : ઝઘડિયા તાલુકા કોંગ્રેસનું તંત્રને આવેદન, ગરીબ પરિવારોને NFSA રેશનકાર્ડ હેઠળના હકો સુરક્ષિત રાખવા રજૂઆત કરાય...

ગરીબ પરિવારોને NFSA રેશનકાર્ડ હેઠળના હકોને સુરક્ષિત રાખવા બાબતે ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઝઘડિયા નાયબ કલેકટર કચેરીએ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું

New Update
Jhagadia Congress

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગરીબ પરિવારોનેNFSA રેશનકાર્ડ હેઠળના હકોને સુરક્ષિત રાખવા બાબતે ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઝઘડિયા નાયબ કલેકટર કચેરીએ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઝઘડિયા તાલુકાના ગરીબ પરિવારોનાNFSA રેશનકાર્ડ હેઠળના હકોને સુરક્ષિત રાખવા બાબતે ઝઘડિયા નાયબ કલેકટર કચેરીએ આવેદન પત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી. આવેદન પત્રમાં જણાવાયું છે કેઝઘડિયા તાલુકામાંNFSA હેઠળના રાશનકાર્ડ ધારકોને જે મુજબ કુટુંબની અથવા તો કોઈપણ સભ્યની આવક મર્યાદા અથવા તો ધારણ કરેલ જમીન વિગેરે બાબતો સરકારના નક્કી કરેલ ધારા-ધોરણમાં સમાવેશ થતો ન હોય તે બાબતની પત્ર દ્વારા જાણ કરી જવાબ માંગવામાં આવે છે. પરંતુ એવા ગરીબ આદિવાસી પરિવારોને નોટીસ આપવામાં આવી છે કેજેમનેGST એટલે શું..તે પણ ખબર નથી.

NFSAની કલમ મુજબ દરેક પાત્ર વ્યક્તિને સબસીડીવાળા અનાજનો અધિકાર છે. સંયુક્ત માલિકીની જમીનમાં વ્યક્તિગત હિસ્સા મુજબ ગણવાની ફરજિયાત શરત છે. તેથી જમીનમાં દરેક ખાતેદારનો હિસ્સો અલગ ગણાયતેને કુલ એકગ સાથે ગણવું ગેરકાયદેસર છે. ફક્ત જમીન માલિકીના આધારે રાશનકાર્ડ રાદ્દ કરવાની પ્રથા બંધ કરવી જોઈએ અને સામાજિક આર્થિક માપદંડોનો ઉપયોગ કરી પાત્રતા નક્કી કરવી જોઈએ. જો ગરીબ અને આદિવાસી પરિવારોનાNFSA હેઠળના હકોને સુરક્ષિત રાખવા તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવેતો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિએ ચીમકી ઉચ્ચારી છે.