ભરૂચ : નિલકંઠેશ્વર મહાદેવ મંદિરે આવતા પરિક્રમાવાસીઓને પીવાના પાણી માટે વલખાં...

નિલકંઠેશ્વર મંદિરે આવતા પરિક્રમાવાસીઓને હાલાકી છેલ્લા 8 માસથી સર્જાય છે પીવાના પાણીની સમસ્યા

New Update
ભરૂચ : નિલકંઠેશ્વર મહાદેવ મંદિરે આવતા પરિક્રમાવાસીઓને પીવાના પાણી માટે વલખાં...

ભરૂચ શહેર તથા જિલ્લામાં ઉનાળાની કાળઝાળ ગરમીથી લોકો પરેશાન થઈ ઉઠ્યા છે, ત્યારે ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નિલકંઠેશ્વર મંદિરે નર્મદા પરિક્રમાવાસીઓ માટે છેલ્લા 8 માસથી પીવાના પાણીની સમસ્યા સર્જાય છે. અહી રાતદિવસ મોટી સંખ્યામાં પરિક્રમાવાસીઓ આવી રહ્યા છે. આ પરિક્રમાવાસીઓ માટે રહેવા, જમવાની વ્યવસ્થા મંદિર દ્વારા કરવામાં આવે છે. પરંતુ નર્મદા નદીના કાંઠે જ પરિક્રમાવાસીઓને પીવાના પાણી માટે વલખાં મારવા પડે છે. જોકે,

મંદિરના ટ્રસ્ટીઓને પરિક્રમાવાસીઓ માટે પીવાનું પાણી ખરીદવાની ફરજ પડી રહી છે. આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં નલ સે જલની વાતો કરતા તંત્રએ કોઈ જ કાર્યવાહી કરી નથી. જેથી ઉનાળામાં સંકટ વધુ ઘેરું બની રહ્યું છે. એક તરફ મંદિરોમાં આવતા પરિક્રમાવાસીઓને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. તો બીજી તરફ ભરૂચ નગરપાલિકાના ફાયર ટેન્ડર દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો હોવાના વિડિયો વાયરલ થતા શ્રદ્ધાળુઓમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે હવે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર કે, પ્રજાના પ્રતિનિધિઓ પાણીનો બગાડ અટકાવી જરૂરિયાતમંદ પરિક્રમાવાસીઓ માટે પાણીની વ્યવસ્થા કરે તે જરૂરી બન્યું છે.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories