ભરૂચ:રાહુલ ગાંધીના રાજા રજવાડા અંગેના નિવેદન પર રાજકારણ, જુઓ ક્ષત્રિય આગેવાને શું કહ્યું

રાહુલ ગાંધીના રાજા રજવાડાઓ અંગેના નિવેદન મુદ્દે કોંગ્રેસનો બચાવ કરી ભરૂચના ક્ષત્રિય આગેવાન સંદીપ માંગરોલાએ ભાજપ નિશાન સાધ્યુ હતું

New Update
ભરૂચ:રાહુલ ગાંધીના રાજા રજવાડા અંગેના નિવેદન પર રાજકારણ, જુઓ ક્ષત્રિય આગેવાને શું કહ્યું

રાહુલ ગાંધીના રાજા રજવાડાઓ અંગેના નિવેદન મુદ્દે કોંગ્રેસનો બચાવ કરી ભરૂચના ક્ષત્રિય આગેવાન સંદીપ માંગરોલાએ ભાજપ નિશાન સાધ્યુ હતું

તાજેતરમાં કર્ણાટકમાં જાહેરસભામાં રાહુલ ગાંધીએ રાજા-મહારાજાઓને લઈને નિવેદન આપ્યું હતું. જેને લઈને વિવાદ ઉભો થયો છે.રાહુલના આ નિવેદન પર ગુજરાતના ગૃહરાજ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર પલટવાર કરતા રાજકારણ ગરમાયું છે.ત્યારે રાહુલ ગાંધીના નિવેદનને લઈ કોંગ્રેસનો બચાવ કરી ભરૂચના ક્ષત્રિય આગેવાન સંદીપ માંગરોલાએ હાલની સરકાર બંધારણ બદલવા જઈ રહી છે.જેના સંદર્ભે હતું એમણે એમ કહ્યું રાજા રજવાડાઓના સમયમાં એવા કાયદાઓ હતા જે કાયદાથી એ ઈચ્છે જમીન લઈ શકતા હતા આજે એજ સ્થિતિનું ભાજપની સરકાર નિર્માણ કરી લોકશાહી ખતમ કરી ગરીબ લોકોની જમીન લઈ રહી છે.એવા કાયદાઓ લઈ ગરીબ લોકોની જમીન છીનવી કાવતરું ઘડી રહ્યા છે.જે સંદર્ભમાં રાહુલ ગાંધી બોલતા હતા.એક તરફ પુરુષોતમ રૂપાલાના નિવેદનથી ભાજપ બોખલાયેલ છે.લોકોનું ધ્યાન ભટકાવવા માટે આ નિવેદનને લઈ લોકોને ભટકાવી રહી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે

Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories