ભરૂચ: રહાડપોર ગામે તળાવમાં નહાવા ગયેલ યુવાનનું ડૂબી જતા મોત નિપજયુ
BY Connect Gujarat1 Aug 2023 9:57 AM GMT
X
Connect Gujarat1 Aug 2023 9:57 AM GMT
ભરૂચ તાલુકાનાં રહાડપોર ગામે તળાવમાં ડૂબી જતા યુવકનું મોત નિપજયુ હતુ. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ યુવાનના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યો હતો.
ભરૂચ તાલુકાના રહાડપોર ગામના જાહેર માર્ગ પ૨ તળાવ આવેલું છે.આ તળાવમાં સોમવારના રોજ સરદાર આવાસમાં રહેતો 45 વર્ષીય મણિલાલ દાસભાઈ વસાવા નહાવા પડ્યો હતો.જોકે તળાવ ઊંડું હોવાના કારણે તળાના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.બનાવની જાણ થતા ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લાશ્કરોને જાણ કરાઈ હતી.
બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતાં. જવાનોએ તળાવમાં ઝંપવાલી ડૂબી ગયેલા યુવકને શોધવાની કામગીરી આરંભી હતી.જોકે ભારે જહેમત બાદ જવાનોએ યુવાનના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો.આ મામલે ભરૂચ એ ડિવિઝન પોલીસ ટીમે સ્થળ પર પહોંચી અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
Next Story