ભરૂચ: રહાડપોર ગામે તળાવમાં નહાવા ગયેલ યુવાનનું ડૂબી જતા મોત નિપજયુ

New Update
ભરૂચ: રહાડપોર ગામે તળાવમાં નહાવા ગયેલ યુવાનનું ડૂબી જતા મોત નિપજયુ

ભરૂચ તાલુકાનાં રહાડપોર ગામે તળાવમાં ડૂબી જતા યુવકનું મોત નિપજયુ હતુ. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ યુવાનના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યો હતો.

ભરૂચ તાલુકાના રહાડપોર ગામના જાહેર માર્ગ પ૨ તળાવ આવેલું છે.આ તળાવમાં સોમવારના રોજ સરદાર આવાસમાં રહેતો 45 વર્ષીય મણિલાલ દાસભાઈ વસાવા નહાવા પડ્યો હતો.જોકે તળાવ ઊંડું હોવાના કારણે તળાના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.બનાવની જાણ થતા ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લાશ્કરોને જાણ કરાઈ હતી.

બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતાં. જવાનોએ તળાવમાં ઝંપવાલી ડૂબી ગયેલા યુવકને શોધવાની કામગીરી આરંભી હતી.જોકે ભારે જહેમત બાદ જવાનોએ યુવાનના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો.આ મામલે ભરૂચ એ ડિવિઝન પોલીસ ટીમે સ્થળ પર પહોંચી અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Read the Next Article

ભરૂચ: શેરબજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચે 15 લોકો સાથે રૂ.1.59 કરોડની ઠગાઈ, એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના કર્મકાંડી ભુદેવ સહિત 15 લોકો સાથે શેર બજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચ આપી ભેજાબાજે રૂ. રૂ.1.59 કરોડની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ

New Update
  • ભરૂચમાં ચકચારી મામલો પ્રકાશમાં આવ્યો

  • 15 લોકો સાથે આચરવામાં આવી ઠગાઈ

  • શેરબજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચે ઠગાઈ

  • રૂ.1.59 કરોડની ઠગાઈ આચરવામાં આવી

  • ઠગ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ

ભરૂચના નંદેલાવ રોડ આશીર્વાદ બંગલોઝમાં રહેતા કર્મકાંડી ભુદેવ સહિત 15 લોકો સાથે શેર બજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચ આપી ભેજાબાજે રૂ. રૂ.1.59 કરોડની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ભરૂચના નંદેલાવ રોડ આશીર્વાદ બંગલોઝમાં રહેતા અને કર્મકાંડ તેમજ ખેતી કરતા ચેતનકુમાર ગણપતરામ પુરોહિતનો ચાર વર્ષ પહેલાં ભરૂચના નિપન નગરમાં રહેતા રાહુલ અરવિંદ પંચાલ સાથે પરિચય થયો હતો. ચેતને પોતે મુંબઈની આઈ.આઈ એફ.એલ.નામની કંપનીમાં શેર બ્રોકર કામ તરીકે કામ કરતો હોવાનું જણાવ્યું તેમજ વધુ વળતર આપવાની ચેતનકુમારને લાલચ આપી હતી.વધુ વળતરની લાલચે ચેતન પુરોહિત અને અન્ય 15 જેટલા લોકોએ રાહુલ પંચાલને રૂ.1.59 કરોડ આપ્યા હતા.
શરૂઆતમાં રાહુલ વિશ્વાસ કેળવવા કેટલાક રૂપિયા વળતર પેટે પરત પણ આપ્યા હતા જોનકે બાદમાં તેણે રૂપિયા ચુકાવવાનું બંધ કરી દીધું હતું જેને પગલે ભેજાબાજ વિરુદ્ધ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસે આ મામલે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.