Connect Gujarat
ભરૂચ

ભરૂચ : શ્રી લિંબચ માતાના મંદિરનો જીર્ણોદ્ધાર, કોમ્યુનીટી હોલ-છાત્રાલય ભવનના કામનું MLAના હસ્તે ભૂમિપૂજન સંપન્ન...

શ્રી લિંબચ માતાના પૌરાણિક મંદિરનો જીર્ણોદ્ધાર તેમજ કોમ્યુનીટી હોલ તથા વિદ્યાર્થીઓ માટેના છાત્રાલય ભવનનું ભૂમિપૂજન ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.

X

ભરૂચ શહેરમાં આવેલ શ્રી લિંબચ માતાના પૌરાણિક મંદિરનો જીર્ણોદ્ધાર તેમજ કોમ્યુનીટી હોલ તથા વિદ્યાર્થીઓ માટેના છાત્રાલય ભવનનું ભૂમિપૂજન ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.

ભરૂચના હાથીખાના વિસ્તારના બહાદુર બુરજમાં આવેલ પૌરાણિક શ્રી લિંબચ માતાના પૌરાણિક મંદિરનો જીર્ણોદ્ધાર તેમજ સમાજના નાના મોટા સામાજીક પ્રસંગો માટે કોમ્યુનીટી હોલ, તથા વિદ્યાર્થીઓ માટે છાત્રાલય ભવન નિર્માણ કાર્ય પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલની ગ્રાન્ટમાંથી સાકાર થનાર છે, ત્યારે આ પ્રકલ્પોનું ભૂમિપૂજન ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ દરેક સમાજના ઉત્થાન માટે કટિબદ્ધ હોવાનું જણાવી સહકાર માટે તમામને આગળ આવવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે દાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિરના મહંત રઘુનંદજી મહારાજ, ભરૂચ જિલ્લા ભાજપ મહામંત્રી નિરલ પટેલ, પાલિકા પ.વ.ડી. ચેરમેન ભાવિન પટેલ, પાલિકા સભ્યો તેમજ લિંબચિયા સમાજના પ્રમુખ પ્રભુદાસ વાળંદ, હરિભાઈ વાળંદ સહિતના અગ્રણીઓ અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story