ભરૂચ: નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલીત કોલેજ ઓફ એગ્રીકલ્ચરમાં પ્રજાસત્તાક પર્વની કરવામાં આવી ઉજવણી

New Update
ભરૂચ: નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલીત કોલેજ ઓફ એગ્રીકલ્ચરમાં પ્રજાસત્તાક પર્વની કરવામાં આવી ઉજવણી

૨૬મી જાન્યુઆરી ૨૦૨૪ના૭૫મા પ્રજાસત્તાક દિવસ, ભરૂચ જિલ્લાની એકમાત્ર અને બહોળી પ્રસિદ્ધિ ધરાવતી નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલીત કોલેજ ઓફ એગ્રીકલ્ચરના ભૃગુ બોયઝ હોસ્ટેલના પટાંગણમાં કોલેજના પ્રિન્સિપાલ, ડો. ડી.ડી. પટેલની અધ્યક્ષતામાં ઉજવવામાં આવ્યો જેમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના એકેડેમિક કાઉન્સિલના સભ્યશ્રી, ડો. જે.જી. પટેલ, પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્રના વડા, ડો. કે.વી. વાડોદરિયા તેમજ કોલેજના અધિકારીગણ, નિવૃત કર્મચારીગણ અને વિદ્યાર્થીગણ સર્વે હાજર રહ્યા હતાં. પ્રમુખસ્થાનેથી ઉદ્દબોધન કરતાં પ્રિન્સિપાલ દ્વારા જણાવવામાં આવ્યું હતું જે Nation First, Character Must મુજબની જીવનશૈલી અપનાવવી જોઈએ. વધુમાં તે પણ જણાવ્યું હતું કે નવસારી કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિ, ડો. ઝેડ.પી. પટેલનાં માર્ગદર્શનમાં એગ્રીકલ્ચર કોલેજ, ભરૂચ ઉત્તરોતર પ્રગતિ કરી રહી છે અને આગળ પણ વધુમાં વધુ શિક્ષણ, સંશોધન અને વિસ્તરણની પ્રવૃત્તિઓ સુદઢ બનાવીને વિદ્યાર્થીઓ અને ખેડુતો સુધી પહોંચાડવા કટિબદ્ધ છીએ.

Read the Next Article

ભરૂચ: ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇ સુરક્ષા વ્યવસ્થા સઘન, પોલીસ દ્વારા ફૂટપેટ્રોલિંગ યોજાયું

ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા ફુરજા વિસ્તારથી સોનેરી મહેલ સુધી ભરૂચ પોલીસે ફ્લેગમાર્ચ યોજી

New Update
  • ભરૂચમાં આવતીકાલે રથયાત્રા

  • ફુરજા વિસ્તારમાંથી રથયાત્રા નિકળશે

  • સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાય

  • પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયુ

  • સંવેદનશીલ વિસ્તારો પર વિશેષ નજર

ભરૂચમાં આવતીકાલે નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું ભરૂચમાં રથયાત્રા સંદર્ભે સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા ફુરજા વિસ્તારથી સોનેરી મહેલ સુધી ફ્લેગમાર્ચ યોજાઈ હતી. આ ફ્લેગમાર્ચમાં એ ડિવિઝન તથા બી ડિવિઝન પોલીસ સ્ટાફ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ ભાગ લીધો હતો.
આ ફ્લેગમાર્ચ દરમિયાન ભરૂચ  DYSP સહિત પીઆઇ,પીએસઆઇ સહિતના પોલીસ કર્મી  હાજર રહ્યા હતા અને પોલીસકર્મીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ભરૂચ શહેરમાં 27 જૂનના રોજ આયોજિત જગન્નાથજીની રથયાત્રાને લઇ પોલીસ તંત્ર દ્વારા શાંતિપૂર્ણ અને અનુકૂળ પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. પોલીસ દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે.