ભરૂચ : PSI તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલા કર્મીનું નિધન, વાજતે ગાજતે અંતિમ યાત્રા કાઢવામાં આવી...

સામાન્ય રીતે લોકોના ઘરે સારા પ્રસંગો હોય, ત્યારે લોકો ડીજે, ઢોલ-નગાર અને શહેનાઈ સાથે વાજતે ગાજતે પ્રસંગની ઉજવણી કરતા હોય છે.

New Update
ભરૂચ : PSI તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલા કર્મીનું નિધન, વાજતે ગાજતે અંતિમ યાત્રા કાઢવામાં આવી...

ભરૂચમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલા ભરતસિંહ પદમસિંહ રાજપૂતનું ગત તા. 15મી માર્ચ શુક્રવારના રોજ મૃત્યુ નિપજતાં સમાજના રીતિરિવાજ મુજબ ગત શનિવારે વાજતે ગાજતે અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી.

સામાન્ય રીતે લોકોના ઘરે સારા પ્રસંગો હોય, ત્યારે લોકો ડીજે, ઢોલ-નગાર અને શહેનાઈ સાથે વાજતે ગાજતે પ્રસંગની ઉજવણી કરતા હોય છે. પરંતુ ભરૂચ શહેરમાં વસતા મરાઠી સમાજમાં જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યું થાય છે, ત્યારે તેમની અંતિમ યાત્રા પણ ધામધૂમથી કાઢવામાં આવે છે. ભરૂચ પોલીસ વિભાગમાં PSI તરીકે ફરજ બજાવી વયનિવૃત્ત થયેલા ભરતસિંહ પદમસિંહ રાજપૂતનું ગત 15મી માર્ચ શુક્રવારના રોજ મોત નીપજ્યું હતું. પરંતુ તેમના દેશમાંથી લોકો આવનાર હોય, જેથી તેમની અંતિમ યાત્રા ગત શનિવારના રોજ કાઢવામાં આવી હતી. આ યાત્રામાં તેમના સમાજના રીતિરિવાજ મુજબ ઠાઠડીને ફુલોથી સજાવી ડીજે, ઢોલ-નગારા અને શહેનાઈના નાદ સાથે વાજતે ગાજતે તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. તેમના નિવાસ સ્થાનેથી નિકળેલી અંતિમ યાત્રા શહેરના દશાશ્વમેઘ સ્મશાન ગૃહ ખાતે પહોચી હતી, જ્યાં મરાઠી સમાજમાં કરવામાં આવતી તમામ વિધિ પ્રમાણે પિતાના પાર્થિવ દેહને પુત્ર દ્વારા અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.

Read the Next Article

ભરૂચ: આશ્રય સોસા.થી નિકળનાર રથયાત્રાના રૂટ પર ઠેર ઠેર ખાડા, તંત્ર સામે લોકોમાં રોષ

રથયાત્રા પૂર્વે માર્ગની કફોડી હાલત પર ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે. આશ્રય સોસાયટીથી નિકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાના રૂટ પર ઠેર ઠેર ખાડા પડેલા હોવાથી લોકોએ નગરપાલિકા સામે ફિટકાર વરસાવ્યો

New Update
  • ભરૂચમાં આવતીકાલે નિકળશે રથયાત્રા

  • ભગવાન નિકળશે નગરચર્યાએ

  • રથયાત્રાના રૂટ પર ઠેર ઠેર ખાડા

  • પાણી ભરાવાની પણ સમસ્યા

ભરૂચમાં જગન્નાથ રથયાત્રા પૂર્વે માર્ગની કફોડી હાલત પર ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે. આશ્રય સોસાયટીથી નિકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાના રૂટ પર ઠેર ઠેર ખાડા પડેલા હોવાથી લોકોએ નગરપાલિકા સામે ફિટકાર વરસાવ્યો હતો.
આવતીકાલે શહેરના આશ્રય સોસાયટી નજીક આવેલા જગન્નાથ મંદિરથી રથયાત્રાનો પ્રારંભ થવાનો છે. ભક્તિ અને શ્રદ્ધાભર્યુ આ પર્વ ઉજવવા માટે ભરૂચવાસીઓમાં ઉત્સાહની લહેર છે. જોકે યાત્રાના માર્ગની હાલત અત્યંત બિસમાર હોવાથી લોકમાત્રમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે.
રથયાત્રા જે માર્ગ પરથી પસાર થવાની છે તે માર્ગ પર અગાઉ બે વખત નવીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હોવા છતાં રસ્તાની હાલત કોઇ જ સુધરી નથી. મોટા ખાડાઓ, નીચાણવાળા ભાગોમાં પાણી ભરાવા કારણે રસ્તો જર્જરિત થયો છે.સ્થાનિક રહીશોએ પાલિકા તંત્ર સામે કટાક્ષ કરીને કહ્યું કે જેમને આવા પવિત્ર તહેવારોના માર્ગોની વ્યવસ્થા કરવા જાગૃત હોવું જોઈએ તેઓ નિંદ્રાધીન જણાય છે.