Connect Gujarat
ભરૂચ

ભરૂચ : મુંબઈથી દિલ્હી જવા નીકળેલી RPFની બાઇક રેલીનું રેલ્વે સ્ટેશન ખાતે ભવ્ય સ્વાગત કરાયું...

મુંબઈથી દિલ્હી જતી આ રેલીમાં 8 RPFના જવાનો પોતાની મોટરસાયકલ લઈ ભારતભરમાં આવેલા વેસ્ટર્ન રેલ્વે કચેરીની મુલાકાત લેશે

X

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રેલ્વે પ્રોટેક્શન ફોર્સ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે RPFના જવાનો દ્વારા નીકળેલી આ બાઇક રેલી ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે આવી પહોચતા ભવ્ય સ્વાગત કરાયું હતું. વેસ્ટન રેલ્વે દ્વારા આઝાદીના 75મા અમૃત મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે આજરોજ વડોદરાથી નીકળેલી RPFના જવાનોની બાઈક રેલી ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે આવી પોહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

મુંબઈથી દિલ્હી જતી આ રેલીમાં 8 RPFના જવાનો પોતાની મોટરસાયકલ લઈ ભારતભરમાં આવેલા વેસ્ટર્ન રેલ્વે કચેરીની મુલાકાત સાથે લોકોને રેલ્વે દ્વારા આપવામાં આવતી સેવાઓ બાબતે અવગત કરશે. જોકે, આ બાઇક રેલીના સભ્યો ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે આવી પહોચતા ભરુચ રેલ્વે સુપ્રીટેન્ડન્ટ ડી.કે.રાજુલ, CMI રાજેશ દાસ, રેલ્વે PSI, RPF સ્ટાફ સહિત મોટી સંખ્યામાં રેલ્વેના અધિકારીઓએ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ આ બાઇક રેલીને ભરૂચ રેલ્વે સ્ટેશનથી વડોદરા તરફ પ્રસ્થાન કરાવવામાં આવી હતી.

Next Story