ભરૂચ : મુંબઈથી દિલ્હી જવા નીકળેલી RPFની બાઇક રેલીનું રેલ્વે સ્ટેશન ખાતે ભવ્ય સ્વાગત કરાયું...

મુંબઈથી દિલ્હી જતી આ રેલીમાં 8 RPFના જવાનો પોતાની મોટરસાયકલ લઈ ભારતભરમાં આવેલા વેસ્ટર્ન રેલ્વે કચેરીની મુલાકાત લેશે

New Update
ભરૂચ : મુંબઈથી દિલ્હી જવા નીકળેલી RPFની બાઇક રેલીનું રેલ્વે સ્ટેશન ખાતે ભવ્ય સ્વાગત કરાયું...

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રેલ્વે પ્રોટેક્શન ફોર્સ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે RPFના જવાનો દ્વારા નીકળેલી આ બાઇક રેલી ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે આવી પહોચતા ભવ્ય સ્વાગત કરાયું હતું. વેસ્ટન રેલ્વે દ્વારા આઝાદીના 75મા અમૃત મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે આજરોજ વડોદરાથી નીકળેલી RPFના જવાનોની બાઈક રેલી ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે આવી પોહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

મુંબઈથી દિલ્હી જતી આ રેલીમાં 8 RPFના જવાનો પોતાની મોટરસાયકલ લઈ ભારતભરમાં આવેલા વેસ્ટર્ન રેલ્વે કચેરીની મુલાકાત સાથે લોકોને રેલ્વે દ્વારા આપવામાં આવતી સેવાઓ બાબતે અવગત કરશે. જોકે, આ બાઇક રેલીના સભ્યો ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે આવી પહોચતા ભરુચ રેલ્વે સુપ્રીટેન્ડન્ટ ડી.કે.રાજુલ, CMI રાજેશ દાસ, રેલ્વે PSI, RPF સ્ટાફ સહિત મોટી સંખ્યામાં રેલ્વેના અધિકારીઓએ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ આ બાઇક રેલીને ભરૂચ રેલ્વે સ્ટેશનથી વડોદરા તરફ પ્રસ્થાન કરાવવામાં આવી હતી.

Read the Next Article

ભરૂચ:ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે સ્મૃતિ સભાનું કરાયુ આયોજન

ભરૂચમાં ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે  સ્મૃતિસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • ભોલાવ વિસ્તારમાં આયોજન કરાયું

  • ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે કાર્યક્રમ

  • સ્મૃતિસભાનું આયોજન કરાયુ

  • ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિત

ભરૂચમાં ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે  સ્મૃતિસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા
ભરૂચ જિલ્લામાં ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે એક સ્મૃતિસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભોલાવના નારાયણ કુંજ એક્સટેન્શન સોસાયટીના કોમન પ્લોટ સ્થિત કોમ્યુનિટી હોલમાં યોજાયેલ આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ  ધર્મેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતામાં પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી.આ પ્રસંગે ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્યો ઉપરાંત વિસ્તારના અનેક અગ્રણીઓ અને લોક પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમણે શ્યામાપ્રસાદ મુખર્જીના  યોગદાનને યાદ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.કાર્યક્રમનો ઉદ્દેશ રાષ્ટ્રપ્રેમ, સંસ્કાર અને ડૉ. મુખર્જીના આત્મત્યાગથી યુવાનોને પ્રેરણા આપવાનો રહ્યો હતો.
Latest Stories