ભરૂચ:સંત શિરોમણિ જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે જિલ્લાભરમાં ઉજવણી કરાય
આજે સંત શિરોમણિ જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે જિલ્લાભરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી
BY Connect Gujarat Desk19 Nov 2023 9:48 AM GMT
X
Connect Gujarat Desk19 Nov 2023 9:48 AM GMT
આજે સંત શિરોમણિ જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે જિલ્લાભરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી
"દેને કો ટુકડા ભલા, લેને કો હરિ કા નામ" આ સૂત્રને સાર્થક કરનાર સૌરાષ્ટ્રના સંત શિરોમણિ જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે, ત્યારે ભરૂચના કસક, જિલ્લા માં આવેલા વિવિધ જલારામ મંદિરો માં ભારે ઉત્સાહ સાથે ભક્તો વહેલી સવારથી જ દર્શનાર્થે ઉમટ્યા હતા. જલારામ બાપાની જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે ભરૂચ જિલ્લાના વિવિધ મંદિરોમાં પાદુકા પૂજન, મહાઆરતી, હવન, પૂજા, પ્રસાદી સહિતન વિવિધ ધાર્મિક પ્રસંગોનો લ્હાવો લઇ ધર્મપ્રેમી જનતાએ ધન્યતા અનુભવી હતી.
Next Story