Connect Gujarat
ભરૂચ

ભરૂચ : સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે યોજાય સર્વ ધર્મ તિરંગા યાત્રા...

ભરૂચ શહેરના જંબુસર બાયપાસ ચોકડીથી સર્વ ધર્મ તિરંગા યાત્રાનું આયોજન સ્થાનિક આગેવાન અબ્દુલ કામઠીની અગેવાનીમાં કરવામાં આવ્યું હતું.

ભરૂચ : સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે યોજાય સર્વ ધર્મ તિરંગા યાત્રા...
X

ભરૂચ શહેર તથા જિલ્લામાં 15મી ઓગષ્ટના રોજ આઝાદીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા જંબુસર બાયપાસ ચોકડીથી સર્વ ધર્મ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ભરૂચ શહેર તથા જિલ્લામાં દેશભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેમાં હિન્દુ હોય કે, મુસ્લિમ... સર્વ ધર્મના લોકો દેશ પ્રેમમાં રંગાઈ ગયા હોય તેવો માહોલ સર્જાયો છે, ત્યારે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ભરૂચ શહેરના જંબુસર બાયપાસ ચોકડીથી સર્વ ધર્મ તિરંગા યાત્રાનું આયોજન સ્થાનિક આગેવાન અબ્દુલ કામઠીની અગેવાનીમાં કરવામાં આવ્યું હતું.

આ સર્વ ધર્મ તિરંગા યાત્રા જંબુસર બાયપાસથી નીકળી મહોમદપુરા, મદીના હોટલ અને પાંચબત્તી થઈને રેલ્વે સ્ટેશન ખાતે પહોંચી જતી, જ્યાં રાષ્ટ્રધ્વજને સલામી આપી સર્વ ધર્મ તિરંગા યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. સર્વ ધર્મ તિરંગા યાત્રામાં હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ સમાજના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લઈ દેશની એકતા અને અખંડિતાની મિશાલ બતાવી હતી.

Next Story