Connect Gujarat
ભરૂચ

ભરૂચ: મુલદ ટોલ પ્લાઝા નજીક બર્નિંગ બસના દ્રશ્યો, બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ

X

અંકલેશ્વર નેશનલ હાઇવે પર મુલદ ચોકડી પાસે સુરતથી અમરેલી તરફ જતી ખાનગી લકઝરી બસમાં આગ લાગતા 50થી વધુ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો જ્યારે ભરૂચ-અંકલેશ્વરના ત્રણથી વધુ ફાયર ટેન્ડરોએ સ્થળ પર દોડી આવી આગ ઉપર કાબૂ મળવ્યો હતો

આજરોજ સાંજના સમયે સુરત ખાતેથી 50થી વધુ મુસાફરોને લઈ ખાનગી લકઝરી બસનો ચાલક અમરેલી તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન અંકલેશ્વર-ભરૂચ વચ્ચે આવેલ મુલદ ચોકડી પાસેથી બસ પસાર થઈ રહી હતી તે વેળા બસમાં અચાનક આગ લાગતા ચાલકે બસ થંભાવી દીધી હતી આગને પગલે મુસાફરોએ ચીચિયારીઓ મચાવી હતી આગને કારણે બસમાં સવાર તમામ મુસાફરો સમય સુચકતા વાપરી નીચે ઉતરી ગયા હતા આગ અંગે અંકલેશ્વર ડી.પી.એમ.પી અને ભરૂચ નગર પાલિકાના ફાયર વિભાગમાં જાણ કરવામાં આવી હતી ફાયર ફાયટરો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને જહેમત ઉઠાવી અડધો કલાકમાં આગ ઉપર કાબૂ મેળવ્યો હતો આગની ઘટનામાં કોઈને પણ જાનહાની નહીં થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો બસમાં આગ ટાયર ગરમ થવાથી લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે જો કે આગને કારણે હાઇવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી વાહનવ્યવહાર પૂર્વવ્રત કરાવ્યો હતો

Next Story