ભરૂચ : રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી અંતર્ગત નવજીવન વિદ્યાલયમાં યોજાયો સાયન્સ કાર્નિવલ-2023

વિજ્ઞાન દ્વારા થતાં લાભો પ્રતિ સમાજમાં જાગૃતિ લાવવા અને વૈજ્ઞાનિક વિચારસરણી જાગૃત કરવાના હેતુસર દર વર્ષે ફેબ્રુઆરી માસમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે.

New Update
ભરૂચ : રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી અંતર્ગત નવજીવન વિદ્યાલયમાં યોજાયો સાયન્સ કાર્નિવલ-2023

વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ, ગુજરાત સરકાર પ્રેરિત ગુજરાત કાઉન્સીલ ઑઁ સાયન્સ એન્ડ ટેકનૉલોજી સંલગ્ન પરમ લોકવિજ્ઞાન કેન્દ્ર-DSC ભરૂચ આયોજિત રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી અંતર્ગત સાયન્સ કાર્નિવલ-2023નું નવજીવન વિદ્યાલય ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

વિજ્ઞાન દ્વારા થતાં લાભો પ્રતિ સમાજમાં જાગૃતિ લાવવા અને વૈજ્ઞાનિક વિચારસરણી જાગૃત કરવાના હેતુસર દર વર્ષે ફેબ્રુઆરી માસમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ ગુજરાત સરકાર પ્રેરિત ગુજરાત કાઉન્સિલ એન્ડ સાયન્સ ટેકનોલોજી સાથે પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર-ભરૂચ દ્વારા વિજ્ઞાન દિવસની ઉજવણી અંતર્ગત સાયન્સ કાર્નિવલ-2023ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

ભરૂચની નવજીવન વિદ્યાલય ખાતે આયોજિત સાયન્સ કાર્નિવલ-2023માં શહેરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તો બીજી તરફ, વૈજ્ઞાનિક ડો. મિતુલ ત્રિવેદીએ સમગ્ર ગુજરાત રાજ્યમાં અવારનવાર આવતા ભૂકંપના આંચકા તેમજ કોસ્ટલ વિસ્તાર અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચના પ્રાચાર્ય કલ્પના ઉનડકટ, વૈજ્ઞાનિક ડો. મિતુલ ત્રિવેદી, તપોવન સંસ્કાર કેન્દ્રના પ્રમુખ દિનેશ પંડ્યા, શિક્ષકગણ સહિત મોટી સંખ્યામાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ: કારગીલ વિજય દિવસ નિમિત્તે યુવા ભાજપ દ્વારા શહીદ જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા કારગીલ યુદ્ધમાં શહીદ થયેલ વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • આજે કારગીલ વિજય દિવસ

  • ભરૂચમાં યુવા ભાજપ દ્વારા યોજાયો કાર્યક્રમ

  • સ્ટેચ્યુ પાર્ક ખાતે કાર્યક્રમનું આયોજન

  • વીર શહીદોને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા

  • ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત

આજરોજ કારગીલ વિજય દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા યુવા ભાજપ દ્વારા સ્ટેચ્યુ પાર્ક ખાતે વીર શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા આજ રોજ કારગીલ વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા કારગીલ યુદ્ધમાં શહીદ થયેલ વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન ભાજપના વરિષ્ઠ હોદ્દેદારો, યુવા મોરચાના કાર્યકર્તાઓ તેમજ ભરૂચ શહેરના અનેક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. શહીદ જવાનોના બલિદાનને યાદ કરીને તમામે રાષ્ટ્રભક્તિ ભાવના સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી,ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,યુવા ભાજપના ઋષભ પટેલ સહિત શહેરના આગેવાનો દ્વારા દેશની સુરક્ષામાં પોતાના પ્રાણોનો ત્યાગ કરનાર વીરપુત્રોને શત શત નમન કરવામાં આવ્યા હતા.
Latest Stories