Connect Gujarat
ભરૂચ

ભરૂચ : સ્વ. અહેમદ પટેલના જન્મદિવસ નિમિત્તે પંડિત ઓમકારનાથ હૉલ ખાતે સદ્દભાવના સભા યોજાય

સ્વ. અહેમદભાઈ પટેલના સેવાકીય સદકાર્યોને યાદ કરી તેમના યોગદાનને બિરદાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

X

કોમી એકતાના પ્રતિક સમા સ્વ. અહમદભાઈ પટેલના જન્મ દિવસ નિમિત્તે ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન હોલ ખાતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સદ્દભાવના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના સાંસદ ઇમરાન પ્રતાપ ગઢી વિશેષ ઉપસ્થિત રહી સ્વ. અહેમદભાઈ પટેલના સેવાકીય સદકાર્યોને યાદ કરી તેમના યોગદાનને બિરદાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન હોલ ખાતે સ્વ. અહમદભાઈ પટેલના જન્મ દિવસ નિમિત્તે યોજાયેલ સદ્દભાવના સભામાં ઉપસ્થિત કોંગ્રેસના સાંસદ ઇમરાન પ્રતાપ ગઢીએ ભાજપ સરકાર પર શાબ્દિક પ્રહાર કરતા મહિલા સન્માન, મોઘવારી અને નશાબંધી સહિતના મુદ્દે ભાજપ સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તો નીતિન ગડકરીને ભાજપ સંસદીય બોર્ડમાંથી હટાવવા મામલે પણ નિવેદન આપી કોંગ્રેસ કરતા ભાજપમાં આંતરિક ખેંચતાણ વધુ હોવાનો આક્ષેપ કર્યો હતો.

સાંસદ ઇમરાન પ્રતાપ ગઢીએ સમગ્ર ગુજરાતની જનતા આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને વિજય અપાવશે તેમ પણ કહ્યું હતું. સદ્દભાવના સભા દરમ્યાન ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, કોંગ્રેસના આગેવાન સંદીપ માંગરોલા, જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિ તડવી સહિતના કોંગી અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story