ભરૂચ:સનાતન ધર્મ પરિવાર દ્વારા શરદપૂર્ણિમાના પર્વની કરવામાં આવી ઉજવણી,મોટી સંખ્યામાં લોકો જોડાયા
અંકલેશ્વરના બોરભાઠા બેટ ગામે શરદપૂર્ણિમાના પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
BY Connect Gujarat Desk29 Oct 2023 9:14 AM GMT
X
Connect Gujarat Desk29 Oct 2023 9:14 AM GMT
ભરૂચના સનાતન ધર્મ પરિવાર દ્વારા અંકલેશ્વરના બોરભાઠા બેટ ગામે શરદપૂર્ણિમાના પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુના સાનિધ્યમાં 49માં દશેરા પર્વ નિમિત્તે શરદપૂર્ણિમાના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુરૂપૂજન કરવામાં આવ્યું હતું તો સાથે જ ભજન,ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, ભાજપના આગેવાન દિવ્યેશ પટેલ,ચેનલ નર્મદાનાં ડિરેક્ટર નરેશ ઠક્કર,સ્તંભેશ્વર તીર્થના મહંત વિધ્યાનંદજી મહારાજ,સુનિલ ભટ્ટ,સામાજિક આગેવાન ધનજી પરમાર સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.આગેવાનોનું સનાતન ધર્મ પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તો વિવિધ ગાયક વૃંદે ભજનોની રમઝટ બોલાવી હતી
Next Story