Connect Gujarat
ભરૂચ

ભરૂચ : “શૌર્ય જાગરણ યાત્રા”નું ઝઘડીયાના રાજપારડી ખાતે આગમન થતાં ભવ્ય સ્વાગત કરાયું...

શૌર્ય જાગરણ યાત્રા રાજપારડી ચાર રસ્તા નજીક ડી.પી.શાહ વિદ્યામંદિર હાઇસ્કુલના પટાંગણમાં સભામાં ફેરવાય હતી

X

બજરંગ દળ - વિશ્વ હિન્દુ પરિષદની શોર્ય જાગરણ યાત્રા

ઝઘડીયાના રાજપારડી આવી પહોચી શોર્ય જાગરણ યાત્રા

સ્થાનિક આગેવાનો દ્વારા કરવામાં આવ્યું યાત્રાનું સ્વાગત

વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત અને બજરંગ દળ દ્વારા આયોજિત શૌર્ય જાગરણ યાત્રાનું ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે આગમન થતાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગત તા. 23મી સપ્ટેમ્બરના રોજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા બારડોલીથી નીકળેલી શૌર્ય જાગરણ યાત્રા તાપી તેમજ નર્મદા જિલ્લામાં થઇને આજરોજ ભરૂચ જિલ્લામાં પ્રવેશી હતી.

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં પ્રવેશેલ શૌર્ય જાગરણ યાત્રા અશા ગામથી ઉમલ્લા થઇને રાજપારડી આવી પહોંચી હતી, જ્યાં ચાર રસ્તા ખાતે ઉપસ્થિત લોકો દ્વારા યાત્રાનું પુષ્પોથી ભવ્ય સ્વાગત કરી આરતીનું આયોજન કરતાં ભક્તિસભર માહોલ જોવા મળ્યો હતો. શૌર્ય જાગરણ યાત્રા રાજપારડી ચાર રસ્તા નજીક ડી.પી.શાહ વિદ્યામંદિર હાઇસ્કુલના પટાંગણમાં સભામાં ફેરવાય હતી, જ્યાં વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓ દ્વારા યુવાનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Next Story