ભરૂચ : શ્રી અબોટી બ્રહ્મ સમાજ દ્વારા સ્નેહમિલન સમારંભ સહિત રક્તદાન શિબિર યોજાય…
શ્રી અબોટી બ્રહ્મ સમાજ-ભરૂચ જિલ્લા દ્વારા સ્નેહમિલન સમારંભ સહિત રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
BY Connect Gujarat Desk9 Oct 2023 7:11 AM GMT
X
Connect Gujarat Desk9 Oct 2023 7:11 AM GMT
શ્રી અબોટી બ્રહ્મ સમાજ-ભરૂચ જિલ્લા દ્વારા સ્નેહમિલન સમારંભ સહિત રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શ્રી અબોટી બ્રહ્મ સમાજના આગેવાનો તેમજ સભ્ય પરિવારો ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર જિલ્લામાં કુરિયરના વ્યવસાય સાથે જોડાયેલ શ્રી અબોટી બ્રહ્મ સમાજના 40થી વધુ પરિવારો 1988ના વર્ષથી ભરૂચમાં સ્થાયી થઈ વસવાટ કરે છે, ત્યારે ભરૂચ જિલ્લા શ્રી અબોટી બ્રહ્મ સમાજ દ્વારા સ્નેહમિલન સમારંભ સહિત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરતથી પધારેલ આમંત્રિત મહેમાનોનું ભવ્ય સ્વાગત કરાયું હતું. આ કાર્યક્રમમાં મુખ્યત્વે ટ્રેડિશનલ રાસ ગરબા, નાના મોટા બાળકોની વિવિધ સ્પર્ધાઓ, નાટક તેમજ ડાન્સ પરફોર્મન્સ જેવા સુંદર કાર્યક્રમો પણ યોજાયા હતા.
Next Story