ભરૂચ: જંબુસર-આમોદમાં તસ્કરોનો તરખાટ,એક જ રાતમાં 4 મકાન અને દુકાનને બનાવ્યું નિશાન

New Update
ભરૂચ: જંબુસર-આમોદમાં તસ્કરોનો તરખાટ,એક જ રાતમાં 4 મકાન અને દુકાનને બનાવ્યું નિશાન

ભરૂચના જંબુસર અને આમોદમાં તસ્કરો બેફામ બન્યા છે. જંબુસરમાં 4 મકાન અને આમોદમાં 1 દુકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું

ભરૂચના જંબુસર નગરમાં પોલીસને પડકાર આપતા હોય તેમ તસ્કરો સક્રિય બન્યા છે. શહેરમાં એક જ દિવસમાં 4 બંધ મકાનોના તાળા તૂટ્યા હતા. જેમાં બે મકાનોમાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો.જંબુસરની સનરાઈઝ સોસાયટી, કિસ્મત નગર, પંચશીલ સોસાયટી અને શ્રીજીકુંજ સોસાયટીમાં તસકરોએ બંધ મકાનને નિશાન બનાવ્યા હતા જેમાંથી પંચશીલ સોસાયટીમાં રહેતા શબિહા પટેલના ઘરમાંથી રોકડ રૂપિયા 50 હજાર સહિત સોનાના દાગીના મળી કુલ 1.34 લાખ મત્તાની ચોરીની ફરિયાદ જંબુસર પોલીસ મથકે નોંધાઈ છે. જ્યારે બીજી બાજુ કિસ્મત નગર સોસાયટીમાં પણ એક બંધ મકાનમાં તસ્કરોએ ચોરીને અંજામ આપી 1 લાખ ઉપરાંતના મત્તાની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય બે સ્થળોએ પણ બંધ મકાનના તાળા તૂટયા હોવાનું સામે આવતા તસ્કરો પોલીસને પડકાર આપતા હોય તેમ જણાય રહ્યું છે.

આ તરફ આમોદમાં પણ તસ્કરોએ એક દુકાનને નિશાન બનાવી હતી. આમોદ નગરના અનાજ કરિયાણાના વેપારી પટેલ ઇબ્રાહિમ હાજી ઉમરજીની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને 9 હજાર જેટલી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોધાઈ નથી

Latest Stories