ભરૂચ : સરકારી ખાતરના બિનધિકૃત વેંચાણનો SOGએ કર્યો પર્દાફાશ, રૂ. 11.29 લાખના મુદ્દામાલ સાથે ઇસમની ધરપકડ

આરોપી ખાતરની ગુણમાં મીઠું મિક્સ કરી ઉદ્યોગોમાં સપ્લાય સાથે તેનું વેંચાણ કરતો હતો

New Update
ભરૂચ : સરકારી ખાતરના બિનધિકૃત વેંચાણનો SOGએ કર્યો પર્દાફાશ, રૂ. 11.29 લાખના મુદ્દામાલ સાથે ઇસમની ધરપકડ

ભરૂચ SOG પોલીસે તવરા ગામે પોટેશ્યમ ક્લોરાઈડ રાસાયણિક ખાતરનું ગેરકાયદે વેંચાણ કરતાં હેમંત પાનવાલા નામના એક વ્યક્તિની ધરપકડ કરી છે. SOG પોલિસે 224 બેગ જપ્ત કરી કુલ રૂ. 11.29 લાખ ઉપરાંતના સરકારી ખાતરનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે, આ ખાતરનું ફક્ત લાઇસન્સ ધારક અધિકૃત વિક્રેતા જ વેંચાણ કરી શકે છે..

Advertisment

ત્યારે બિનઅધિકૃત રીતે વેંચાણ કરતાં હેમંત પાનવાલા પાસે કોઈ લાઇસન્સ ન હતું. પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું હતું કે, હેમંત પાનવાલા આ ખાતર અંકલેશ્વરની ચિંતન એગ્રો.માંથી ખરીદી કરતો હતો, અને ત્યારબાદ ખાતરની ગુણમાં મીઠું મિક્સ કરી ઉદ્યોગોમાં સપ્લાય સાથે તેનું વેંચાણ કરતો હતો, ત્યારે હાલ તો SOG પોલીસે સરકારી સબસીડીવાળા રાસાયણિક ખાતરના કાળા કારોબારનો પ્રદાફર્શ કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisment
Read the Next Article

ભરૂચ: મનરેગા કૌભાંડમાં હાંસોટના 4 ગામોમાં પોલીસની તપાસ, પંચકેસ સહિતની પ્રક્રિયા પૂર્ણ કરાય

ભરૂચમાં પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે.જેમાં બે એજન્સીએ મળી 11 ગામોમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ આચરી રૂપિયા 19.64 લાખ સરકાર પાસે વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય 

New Update
  • ભરૂચમાં બહાર આવ્યું મનરેગા કૌભાંડ

  • 3 તાલુકાના ગામોમાં કૌભાંડ આચરાયું

  • પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

  • ગામોમાં પંચકેસ સહિતની પ્રક્રિયા શરૂ કરાય

  • 9 પોલીસકર્મીઓનો તપાસ ટીમમાં સમાવે સમાવેશ થાય છે 

Advertisment

 

ભરૂચ જિલ્લામાં બહાર આવેલ મનરેગા કૌભાંડમાં પોલીસની ટીમ દ્વારા આજરોજ હાંસોટ તાલુકાના 4 ગામોમાં તપાસ કરી પંચકેસ સહિતની કાર્યવાહી કરી હતી ભરૂચમાં પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે.જેમાં બે એજન્સીએ મળી 11 ગામોમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ આચરી રૂપિયા 19.64 લાખ સરકાર પાસે વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય  હતી.આ બે એજન્સીઓમાં વેરાવળની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એજન્સીનો સમાવેશ થાય છે. આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે. જેમાં 3 અધિકારીઓ અને 6 પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. આ અંગે તપાસ અધિકારી આર.એમ.વસાવાએ જણાવ્યુ હતું કે ટીમ દ્વારા આજરોજ હાંસોટ તાલુકાના સમલી, કંટીયાજાળ, બોલાવ અને સુણેવખુદ ગામમાં તપાસ કરવામાં આવી હતી.પોલીસકર્મીઓ દ્વારા પંચકેસ સહિતની કાર્યવાહી કરવામાં આવી છે.ભરૂચ જિલ્લાના કુલ 56 ગામોમાં 7.30 કરોડનું કૌભાંડ આચરાયુ હોવાની આશંકા પોલીસ ફરિયાદમાં વ્યક્ત કરવામાં આવી છે જેમાં હાંસોટ તાલુકાના સૌથી વધુ ગામોનો સમાવેશ થાય છે.

Advertisment
Latest Stories