ભરૂચ : સરકારી ખાતરના બિનધિકૃત વેંચાણનો SOGએ કર્યો પર્દાફાશ, રૂ. 11.29 લાખના મુદ્દામાલ સાથે ઇસમની ધરપકડ

આરોપી ખાતરની ગુણમાં મીઠું મિક્સ કરી ઉદ્યોગોમાં સપ્લાય સાથે તેનું વેંચાણ કરતો હતો

New Update
ભરૂચ : સરકારી ખાતરના બિનધિકૃત વેંચાણનો SOGએ કર્યો પર્દાફાશ, રૂ. 11.29 લાખના મુદ્દામાલ સાથે ઇસમની ધરપકડ

ભરૂચ SOG પોલીસે તવરા ગામે પોટેશ્યમ ક્લોરાઈડ રાસાયણિક ખાતરનું ગેરકાયદે વેંચાણ કરતાં હેમંત પાનવાલા નામના એક વ્યક્તિની ધરપકડ કરી છે. SOG પોલિસે 224 બેગ જપ્ત કરી કુલ રૂ. 11.29 લાખ ઉપરાંતના સરકારી ખાતરનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે, આ ખાતરનું ફક્ત લાઇસન્સ ધારક અધિકૃત વિક્રેતા જ વેંચાણ કરી શકે છે..

ત્યારે બિનઅધિકૃત રીતે વેંચાણ કરતાં હેમંત પાનવાલા પાસે કોઈ લાઇસન્સ ન હતું. પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું હતું કે, હેમંત પાનવાલા આ ખાતર અંકલેશ્વરની ચિંતન એગ્રો.માંથી ખરીદી કરતો હતો, અને ત્યારબાદ ખાતરની ગુણમાં મીઠું મિક્સ કરી ઉદ્યોગોમાં સપ્લાય સાથે તેનું વેંચાણ કરતો હતો, ત્યારે હાલ તો SOG પોલીસે સરકારી સબસીડીવાળા રાસાયણિક ખાતરના કાળા કારોબારનો પ્રદાફર્શ કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Read the Next Article

અંકલેશ્વર: રામકુંડ ખાતે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરાયુ

દર વર્ષે રામકુંડના મહંત ગંગાદાસ મહારાજ દ્વારા ટર્સ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

New Update
MixCollage-08-Jul-2025-08-38-PM-8313

દર વર્ષે રામકુંડના મહંત ગંગાદાસ મહારાજ દ્વારા ટર્સ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે.

જેના ભાગરૂપે આજે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. 
જેમાં સંતોને પ્રસાદી જમાડીતેઓને ભેટ સ્વરૂપે છત્રી આપવામાં આવી હતી. આ ભંડારાનો 350થી વધુ સાધુ સંતોએ લાભ લીધો હતો.
Latest Stories