/connect-gujarat/media/post_banners/bdafff007912743c8ac1360470b2293b2c90f1a8499c7796ca9504751a708661.jpg)
ગુજરાતમાં બીએપીએસ સંસ્થાના ૧૮ હજાર સત્સંગ કેન્દ્રો સહિત ભરૂચ જિલ્લાના ઝાડેશ્વર સ્થ્તિ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે બાળ બાલિકા,યુવા યુવતી અને મહિલા સંયુક્ત કાર્યક્રમ યોજાયો. ભરૂચના ઝાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સભાગૃહ ખાતે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નિમિત્તે મહિલા દિન ઉજવણીના ભાગરૂપે મહિલા યુવતીઓ અને બાલિકોઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં અનુયાયીઓએ લાભ લીધો હતો.
સમગ્ર વિશ્વમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાઓ દ્વારા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નિમિત્તે બીએપીએસ સંસ્થાના ૧૮ હજાર થી વધુ સત્સંગ કેન્દ્રો ઉપર બાળ બાલિકા,યુવા યુવતી અને મહિલા સંયુક્ત વિગેરે વિશ્વ વ્યાપી આધ્યાત્મિક પરિવાર માનવ ઉતકર્ષની સાથે અનેક વિવિધ રચનાત્મક પ્રવુત્તિઓ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મહિલાઓમાં સર્વાંગી વિકાસ થયા અને મહિલાઓમાં જાગૃતિ આવે તે હેતુસર બીએપીએસ સંસ્થા મહિલા દિનની ઉજવણી કરે છે.