ભરૂચ : પરિક્રમાવાસી સંત દાદા ગુરુનું આધ્યત્મિક પ્રવચન યોજાયું, નીલકંઠેશ્વર ઓવારે નર્મદા મૈયાની આરતી કરાય...

ઓમકારેશ્વરથી સંત દાદા ગુરુ નર્મદા પરિક્રમા કરતાં કરતાં ભરૂચના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે આવી પહોચ્યા હતા

New Update
ભરૂચ : પરિક્રમાવાસી સંત દાદા ગુરુનું આધ્યત્મિક પ્રવચન યોજાયું, નીલકંઠેશ્વર ઓવારે નર્મદા મૈયાની આરતી કરાય...

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે નર્મદા પરિક્રમાવાસી સંત દાદા ગુરુનું આધ્યાત્મિક પ્રવચન અને નર્મદા મૈયાની મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઓમકારેશ્વરથી સંત દાદા ગુરુ નર્મદા પરિક્રમા કરતાં કરતાં ભરૂચના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે આવી પહોચ્યા હતા, જ્યાં તેઓના પ્રવચન અને નર્મદા મૈયાની મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. નર્મદા પરિક્રમાનું અનેરું માહ્મત્ય રહેલું છે, ત્યારે સંત દાદા ગુરુએ નવેમ્બર માસમાં પાવન પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો. જેઓ નર્મદા પરિક્રમા કરતાં કરતાં ભરૂચ આવી પહોચ્યા હતા, ત્યારે આધ્યાત્મિક આયોજનનો મોટી સંખ્યામાં ભરૂચ શહેરની ધર્મ પ્રેમી જનતાએ લાભ લીધો હતો. આ પ્રસંગે ભાજપના ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, રાજ્યસભાના પૂર્વ સાંસદ ભારતસિંહ પરમાર, ખુમાનસિંહ વાસીયા, જિલ્લા વિકાસ અધિકારી પરેશ જોશી, બિપિન પટેલ સહિતના આગેવાનોએ પણ આરાધ્યરૂપી પ્રવચનનો લાભ લીધો હતો.

Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.