ભરૂચ : વસંત મિલની ચાલમાં ઉભરાતી ગટરથી રહીશો ત્રાહીમામ, પાલિકામાં રજૂઆત છતાં પરિણામ શૂન્ય..!

ભરૂચ શહેરની વસંત મિલની ચાલમાં છેલ્લા ઘણા દિવસોથી ગટરનું ગંદુ પાણી ઉભરાતા રહીશો ત્રાહીમામ પોકારી ઉઠયા છે.

New Update
ભરૂચ : વસંત મિલની ચાલમાં ઉભરાતી ગટરથી રહીશો ત્રાહીમામ, પાલિકામાં રજૂઆત છતાં પરિણામ શૂન્ય..!

ભરૂચ શહેરની વસંત મિલની ચાલમાં છેલ્લા ઘણા દિવસોથી ગટરનું ગંદુ પાણી ઉભરાતા રહીશો ત્રાહીમામ પોકારી ઉઠયા છે, ત્યારે પાલિકા દ્વારા આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો રહીશોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

ભરૂચના વોર્ડ નંબર 8માં સમાવેશ થતા વસંત મિલની ચાલ વિસ્તારમાં ગટરનું ગંદુ પાણી ઉભરાઈ રહ્યું છે. આ સમસ્યાના કારણે લોકોએ વારંવાર ગંદકીનો સામનો કરવો પડે છે. એટલું જ નહીં લોકોના ઘરમાં પણ ગંદકીનું સામ્રાજ્ય છવાઈ જાય છે. આ વિસ્તારના રહીશોના જણાવ્યા અનુસાર, ભરૂચ નગરપાલિકા તંત્રને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે. પરંતુ આજ દિન સુધી આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. આ સાથે જ સ્થાનિકોએ વોર્ડ નં. 8માં પાલિકાના ચૂંટાયેલા સભ્યો તેમની સમસ્યાઓનું નિરાકરણ કરતા નહીં હોવાના આક્ષેપ કર્યા હતા, ત્યારે આવનારા દિવસોમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો પાલિકા વિરુદ્ધ સ્થાનિકોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે

Latest Stories