ભરૂચ : ધો-9ના વિદ્યાર્થીઓએ “પ્રખરતા શોધ કસોટી”ની પરીક્ષા આપી, નારાયણ વિદ્યાલય ખાતે કરાયું આયોજન…!

ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત નારાયણ વિદ્યાલય ખાતે 300 જેટલા વિદ્યાર્થીઓએ પ્રખરતા શોધ કસોટીની પરીક્ષા આપી હતી.

New Update
ભરૂચ : ધો-9ના વિદ્યાર્થીઓએ “પ્રખરતા શોધ કસોટી”ની પરીક્ષા આપી, નારાયણ વિદ્યાલય ખાતે કરાયું આયોજન…!

ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત નારાયણ વિદ્યાલય ખાતે 300 જેટલા વિદ્યાર્થીઓએ પ્રખરતા શોધ કસોટીની પરીક્ષા આપી હતી. આ સાથે જ સમગ્ર જીલ્લામાં કુલ 991 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી.

ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાં ધોરણ 9ના વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર લાવવા માટે પ્રખરતા શોધ કસોટીનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આજે તા. 9 ફેબ્રુઆરીના રોજ ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત નારાયણ વિદ્યાલય ખાતે 300 જેટલા વિદ્યાર્થીઓએ પ્રખરતા શોધ કસોટીની પરીક્ષા આપી હતી. ધોરણ 9ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં થતી તમામ કામગીરી અંગે વાકેફ કરવા પ્રખરતા શોધ કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હૉલ ટિકિટ પર નિરીક્ષક, આચાર્ય અને વિદ્યાર્થીઓની સહી કરવા સહિત બોર્ડની પરીક્ષાના તમામ નિયમોને આવરી લેવામાં આવ્યા હતા. સરકારી અને ગ્રાન્ટેડ તેમજ નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાના ધોરણ 9માં અભ્યાસ કરતાં કુલ 991 વિદ્યાર્થીઓએ પ્રખરતા શોધ કસોટીની પરીક્ષા આપી રહ્યા હતી. શિષ્યવૃત્તિ માટે ઉપયોગી આ પરીક્ષામાં મેરીટ બેઝ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ મળતો હોય છે. આ પરીક્ષા માટે 10 ઓબ્ઝર્વર નિયુક્ત કરવામાં આવ્યા હતા. જેમાં સવારે 11થી 1 વાગ્યા સુધીમાં 100 ગુણનું પ્રશ્નપત્ર-1 અને બપોરે 2થી 4 વાગ્યા સુધીમાં 100 ગુણનું પ્રશ્નપત્ર-2 રાખવામાં આવ્યું છે.

Read the Next Article

અંકલેશ્વર : મહારાષ્ટ્રમાં થયેલ કેબલ ચોરીના મામલામાં 4 આરોપીની નોબેલ માર્કેટમાંથી ધરપકડ,ક્રાઇમ બ્રાન્ચે રૂ.5.30 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે  મહારાષ્ટ્રમાં આવેલ ખોપોલી પો.સ્ટે. વિસ્તારમાં કેબલ ચોરી થઇ હતી

New Update
gujarat
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે  મહારાષ્ટ્રમાં આવેલ ખોપોલી પો.સ્ટે. વિસ્તારમાં કેબલ ચોરી થઇ હતી જેમાં જુબેર તથા આલમ મનીયાર તથા દિપક કપિલદેવ તિવારી તથા રામવિલાસ ચીકનું યાદવ સંડોવાયેલ છે જે પૈકી આલમ તથા દિપક તિવારી તથા રામ વિલાસ યાદવ અંક્લેશ્વર ખાતે આવેલ નોબલ માર્કેટમાં ગુનામા વપરાયેલ સાધનો સાથે ગોવિંદ અવધરામ યાદવને ત્યા ગોડાઉન પર રોકાયા છે જે બાતમીના આધારે નોબેલ માર્કેટમાં ગોવિંદ યાદવના ગોડાઉનના પર જઇ તપાસ કરતા ગોડાઉન પર ચાર ઇસમ એમ.એચ. પાસીંગની એક બાઇક તથા બોલેરો પીક અપ સાથે ઝડપાય ગયા હતા.આરોપીઓ પોલીસથી બચવા અંકલેશ્વર આવ્યા હોવાનું બહાર આવ્યું હતું.પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ.5.30 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ઝડપાયેલ આરોપીઓ
(1)મોહંમદ આલમ મોહંમદ યુસુફ મનીયાર ઉ.વ.૩૪ હાલ રહે, પુનોલે ગાયકવાડનગર પુના જી.પુના (મહારાષ્ટ્ર) મુળ રહે, દલમઉ થાના-દલમઉ તા.જી. રાયબરેલી (ઉત્તરપ્રદેશ)
(૨) દિપક કપિલદેવ તિવારી ઉ.વ.રર હાલ રહે, ચીખલી કુંતલવાડી રામવિલાસની ભંગારની દુકાન પર તા. નહેરૂનગર જી.પુના (મહારાષ્ટ્ર) મુળ રહે. મનકાપુર તા. તુલસીપુર દેવીપાટણ જી. બલરામપુર (ઉત્તરપ્રદેશ)
(૩) રામવિલાસ ચીકનું યાદવ ઉ.વ. ૩૨ રહે, પુનોલે ગાયકવાડનગર જી-પુના (મહારાષ્ટ્ર) મુળ રહે. ત્રિલોકપુર તા-ઇટવા જી- સિધ્ધાર્થનગર (ઉત્તરપ્રદેશ)
(૪) ગોવિંદ અવધરામ યાદવ ઉ.વ.૪૮ હાલ રહે, પ્લોટ નં.૭૧ ન્યુ ઈન્ડીયા નોબલ માર્કેટ ભડકોદ્રા તા. અંકલેશ્વર જી.ભરૂચ મુળ રહે. રામાપુર ઉર્ફે બિસુનપુર તા. ઈટવા જી. સિધાર્થનગર (ઉત્તરપ્રદેશ)