Connect Gujarat
ભરૂચ

ભરૂચ : પ્રજાપતિ સમાજનો છઠ્ઠો સ્નેહમિલન સમારોહ યોજાયો, તેજસ્વી વિદ્યાર્થીઓ સહિત શ્રેષ્ઠીઓનું સન્માન કરાયું...

ઝાડેશ્વર વિસ્તાર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં પ્રજાપતિ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-ભરૂચ છઠ્ઠો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો.

X

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં પ્રજાપતિ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-ભરૂચ છઠ્ઠો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો.

પ્રજાપતિ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં છઠ્ઠા સ્નેહમિલન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજ સંગઠિત બને સમાજના લોકોમાં એકબીજા પ્રત્યે મનમેળ રહે તે હેતુથી સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. સ્નેહમિલન સમારોહ દરમ્યાન સમાજના અનેક ક્ષેત્રમાં આગળ પડતા વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સમાજના તેજસ્વી વિદ્યાર્થીને સન્માનિત કરી પ્રોત્સાહન કરવામાં આવ્યું હતું. સમાજના ડોક્ટર સહિત અનેક વિવિધ ક્ષેત્રોમાં આગળ નીકળી સમાજનું નામ રોસન કરનાર વ્યક્તિઓનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 100થી વધુ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ સાથે જ સમાજ દ્વારા સમાજ ઉપયોગી અનેક કાર્ય કરી સમાજને વધુ મજબૂત કરવાના પ્રયાસો હાથ વધારવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના પ્રમુખ ઉપેન્દ્ર પ્રજાપતિ, વડોદરા ભાજપ બક્ષિપંચ મોરચાના પ્રમુખ રસિક પ્રજાપતિ, ભરૂચ પ્રજાપતિ સમાજના પ્રમુખ રાકેશ પ્રજાપતિ, પ્રજાપતિ સમાજના કાર્યકારી પ્રમુખ પરેશ લાડ, પ્રજાપતિ સમાજના અગ્રણી નટવર પ્રજાપતિ તેમજ મુક્તાનંદ સ્વામી સહિત મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને સમાજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story