ભરૂચ: AAP અને BTPના ગઠબંધનનું કોકડુ ગૂંચવાયું ? ગોપાલ ઇટાલીયાએ કહ્યું હજુ વાર છે !

New Update
ભરૂચ: AAP અને BTPના ગઠબંધનનું કોકડુ ગૂંચવાયું ? ગોપાલ ઇટાલીયાએ કહ્યું હજુ વાર છે !

આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા ભરૂચની મુલાકાતે

Advertisment W3.CSS

વેપારીઓ સાથે કરી બેઠક

AAP અને BTPના ગઠબંધન અંગે મહત્વના સમાચાર

બન્ને પાર્ટીના ગઠબંધનનું કોકડું ગૂંચવાયું

ગોપાલ ઇટાલીયાએ કહ્યું હજુ વાર છે !

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી ર્હઈ છે ત્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા સંગઠનને મજબૂત બનાવવાની કવાયત શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ આજરોજ ભરુચમાં વેપારીઓ સાથે બેઠક કરી હતી. આ દરમ્યાન અનેક લોકો આપમાં જોડાયા હતા પરંતુ ગોપાલ ઇટાલિયાના એક નિવેદનથી રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

આમ આદમી પાટી અને છોટુ વસાવાની ભારતીય ટ્રાયબલ પાર્ટી આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગઠબંધન કરશે એવી જાહેરાત કરવામાં આવી હતી અને આ અંતર્ગત અનેક જાહેરસભા અને કાર્યક્રમો બન્ને પાર્ટીઓ દ્વારા કરવામાં આવ્યા હતા પરંતુ આજે ગોપાલ ઇટાલીયાને એક પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે આપ કેટલી બેઠકો પર ચૂંટણી લડશે તો તેઓએ જણાવ્યુ હતું કે આપ તમામ બેઠકો પર ચૂંટણી લડશે. ભારતીય ટ્રાયબલ પાર્ટી સાથેના ગઠબંધન અંગે તેઓએ જણાવ્યુ હતું કે આ વાત ચાલુ છે,હજુ વાર છે,ચૂંટણી આવશે એટ્લે બધુ સ્પષ્ટ થઈ જશે