ભરૂચ: પશ્વિમ વિસ્તારમાં બે કોમના ટોળા સામસામે આવી જતા વાતાવરણ ગરમાયુ,પોલીસે પરિસ્થિતિ પર મેળવ્યો કાબુ

ભરૂચના અતિ સવેદનશીલ પશ્ચિમ વિસ્તારમાં શનિવારે સર્જાયેલ છમકલામાં શહેરની શાંતિ ડહોળાઇ હતી.

New Update
ભરૂચ: પશ્વિમ વિસ્તારમાં બે કોમના ટોળા સામસામે આવી જતા વાતાવરણ ગરમાયુ,પોલીસે પરિસ્થિતિ પર મેળવ્યો કાબુ

ભરૂચના અતિ સવેદનશીલ પશ્ચિમ વિસ્તારમાં શનિવારે સર્જાયેલ છમકલામાં શહેરની શાંતિ ડહોળાઇ હતી. નન્નું મિયાનાળા પાસે આવેલ બળિયા દેવનું નાનું મંદિર ઢંકાઈ જવાના મુદ્દે મારક હથિયારો સાથે સર્જાયેલ ધિંગાણમાં બે વ્યક્તિને ચપ્પુ વાગી જતા ઈજા પોહચી હતી.

પશ્ચિમ ભરૂચના નાન્નું મિયા નાળા પાસે બળિયા દેવ દાદાનું નાનું મંદિર આવેલું છે. જ્યાં નજીક લઘુમતી સમાજની સોસાયટી દ્વારા સિમેન્ટના થાંભલાનું સ્ટ્રક્ચર ઉભું કરવામાં આવતા મંદિર ઢાંકવા લાગ્યું હતું. મંદિર સિમેન્ટના સ્ટ્રક્ચર અને કચરો નાખવાના બાબતને લઇ રાતે બે કોમના લોકો વચ્ચે બોલાચાલી થઇ હતી.જે ઉગ્ર ઝઘડામાં ફેરવતા બંને કોમના ૪૦ થી ૫૦ લોકોનું ટોળું હથિયારો સાથે આમને સામને આવી ગયું હતું.દરમિયાન બે વ્યક્તિને ચપ્પુ વાગી જતા મામલો વધુ વણસ્યો હતો. જોકે પોલીસના ધાડેધાડાએ ઉતરી પડી સ્થિતિને કાબુમાં લીધી હતી. મામલા અંગે ભરૂચ શહેર બી ડીવીઝન પોલીસ મથકે ૫ હુમલાખોર સહીત ટોળા સામે રાયોટીંગનો ગુનો નોંધાયો છે.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.