ભરૂચ : અંકલેશ્વરથી વાલિયાને જોડતો અતિવ્યસ્ત માર્ગ બન્યો અ'તિ બિસ્માર...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી વાલીયાને જોડતો અતિવ્યસ્ત એવો મુખ્ય માર્ગ વાહન ચાલકો માટે જીવના જોખમ સમાન બની ગયો

New Update
ભરૂચ : અંકલેશ્વરથી વાલિયાને જોડતો અતિવ્યસ્ત માર્ગ બન્યો અ'તિ બિસ્માર...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી વાલીયાને જોડતો અતિવ્યસ્ત એવો મુખ્ય માર્ગ વાહન ચાલકો માટે જીવના જોખમ સમાન બની ગયો છે. આ માર્ગ પરથી રોજના સેંકડો વાહનો પસાર થાય છે, ત્યારે હાલ ચોમાસાની સિઝન દરમ્યાન વરસાદના વિરામ બાદ જાણે આ માર્ગ અતિ બિસ્માર બન્યો હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે.

Advertisment

આ માર્ગ પર મોટા મોટા મેન્ટલ પથ્થર તેમજ ઊડતી ધૂળની ડમરીઓના કારણે અનેક વાહનચાલકો સહિત રાહદારીઓ તોબા પોકારી ઉઠ્યા છે. તેવામાં એક જાગૃત નાગરિક અને સામાજીક કાર્યકર દ્વારા આ મામલે તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં આજદિન સુધી યોગ્ય કામગીરી નહીં થતાં પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે. વર્ષ 2019માં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલને પણ જાગૃત નાગરિકે છેક ગાંધીનગર જઈને રજૂઆત કરી હતી. જોકે, માર્ગ બનાવ્યાને 3-4 મહિનામાં જ આ માર્ગની હાલત બિસ્માર બનતા રોડની કામગિરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો પણ જાગૃત નાગરિકે આક્ષેપ કર્યો હતો, ત્યારે હવે વહેલી તકે બિસ્માર અને જોખમી માર્ગનું તંત્ર દ્વારા સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Advertisment
Read the Next Article

અંકલેશ્વર: કમોસમી વરસાદ સાથે પ્રદૂષણના દ્રશ્યો સામે આવ્યા, રાસાયણિક પાણી ખાડીમાં વહ્યું !

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા

New Update
  • અંકલેશ્વરમાં કમોસમી વરસાદ

  • કમોસમી વરસાદ સાથે પ્રદૂષણના દ્રશ્યો

  • પ્રદુષિત પાણી ઓવરફ્લો થયું

  • લાખો લીટર પાણી ખાડીમાં વહ્યું

  • જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા

Advertisment
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું હતું. હજુ ચોમાસુ બેઠું નથી એ પૂર્વે જ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વરસાદી પાણી સાથે રાસાયણિક પાણી વિપુલ માત્રામાં વહી ગયું હતું.10 દિવસમાં બીજી વાર પડેલા માવઠામાં પ્રથમ માવઠામાં અમરાવતી નદીમાં માછલાંના મોત થયા હતા અને હવે બીજા માવઠામાં જળ સંપદા અને જમીન સંપદાને વ્યાપક નુકશાન થવાના દ્રશ્યો સામે આવ્યા છે.
ખાસ કરીને સી પમ્પીંગ સ્ટેશન પાસે નોટીફાઈડ વિભાગ દ્વારા બનાવેલ પાળો અને તેની નજીક મુકેલ ગેટ પર ઓવરફ્લો થઇને ઔદ્યોગિક વસાહતનું રાસાયણિક પાણી ખાડીમાં ધોધ સ્વરૂપે વહી રહ્યું હતું.આ અંગે જીવદયા પ્રેમીઓ જીપીસીબીને જાણ કરતા અધિકારીઓએ ત્વરિત અસરથી સ્થળ પર દોડી આવ્યા હતા અને સેમ્પલ લીધા હતા તેમજ નોટીફાઈડ વિભાગના અધિકારીઓ અને ઉદ્યોગ મંડળને પ્રિ મોન્સૂન કામગીરી અંતર્ગત પાળો ઉંચો કરવા તાકીદ કરવામાં આવી હતી. 
Advertisment
Latest Stories