ભરૂચ : લગ્નપ્રસંગે બહાર ગયેલા ટંકારીયાના પરિવારનું બંધ મકાન ચઢ્યું તસ્કરોના નિશાને, રૂ. 30 લાખથી વધુના મતાની ચોરી

ભરૂચ જિલ્લાના ટંકારીયા ગામમાં આવેલા ઇરફાન ઇનાયત લાર્યાના મકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખોના મતાની ચોરી કરી ફરાર થઇ જતા ભારે ચકચાર મચી જવા પામી હતી

New Update
ભરૂચ : લગ્નપ્રસંગે બહાર ગયેલા ટંકારીયાના પરિવારનું બંધ મકાન ચઢ્યું તસ્કરોના નિશાને, રૂ. 30 લાખથી વધુના મતાની ચોરી

રૂચ જિલ્લાના ટંકારીયા નજીક પાદરીયા રોડ પર રહેતો પરિવાર લગ્ન પ્રસંગ અર્થે બહારગામ ગયો હતો, ત્યારે તેઓના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂ. 30 લાખથી વધુના માલમતાની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.

Advertisment

મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના ટંકારીયા ગામમાં આવેલા ઇરફાન ઇનાયત લાર્યાના મકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખોના મતાની ચોરી કરી ફરાર થઇ જતા ભારે ચકચાર મચી જવા પામી હતી. ટંકારીયાના પાદરીયા રોડ પર રહેતા ઇરફાન લાર્યા તેઓના પરિવાર સાથે ગતરોજ સવારે આછોદ લગ્ન પ્રસંગમાં ગયા હતા. ત્યારબાદ તેઓ ટંકારીયા પરત ફર્યા હતા, અને ગામમાં પણ એક લગ્ન પ્રસંગ હોય ત્યાં ગયા હતા, તે વેળા સાંજના 6 વાગ્યાથી 9 વાગ્યાના સમય દરમિયાન કોઈ અજાણ્યા ઈસમોએ તેઓના નિવાસના પાછળના ભાગેથી પ્રવેશી 44 તોલા સોનાના દાગીના તેમજ રૂ. 4.50 લાખથી વધુની રોકડ રકમ મળી કુલ રૂ. 31.50 લાખથી વધુના મતાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. પરિવારના સદસ્યો જ્યારે ઘરે પરત ફર્યા, ત્યારે ઘરમાં બધું વેરવિખેર પડેલું જોતા તેઓના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ઘટના સંદર્ભે મકાન માલિકે પાલેજ પોલીસને જાણ કરતા પાલેજ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તો બીજી તરફ, ઘટનાના પગલે ભરૂચ નાયબ પોલીસ અધિક્ષક સી.કે.પટેલ તેમજ LCB પોલીસે પણ ઘટના સ્થળે દોડી આવી તપાસ શરૂ કરી છે. ચોરીની ઘટનાને પગલે સમગ્ર ટંકારીયા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

Advertisment
Read the Next Article

અંકલેશ્વર: કમોસમી વરસાદ સાથે પ્રદૂષણના દ્રશ્યો સામે આવ્યા, રાસાયણિક પાણી ખાડીમાં વહ્યું !

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા

New Update
  • અંકલેશ્વરમાં કમોસમી વરસાદ

  • કમોસમી વરસાદ સાથે પ્રદૂષણના દ્રશ્યો

  • પ્રદુષિત પાણી ઓવરફ્લો થયું

  • લાખો લીટર પાણી ખાડીમાં વહ્યું

  • જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા

Advertisment
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું હતું. હજુ ચોમાસુ બેઠું નથી એ પૂર્વે જ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વરસાદી પાણી સાથે રાસાયણિક પાણી વિપુલ માત્રામાં વહી ગયું હતું.10 દિવસમાં બીજી વાર પડેલા માવઠામાં પ્રથમ માવઠામાં અમરાવતી નદીમાં માછલાંના મોત થયા હતા અને હવે બીજા માવઠામાં જળ સંપદા અને જમીન સંપદાને વ્યાપક નુકશાન થવાના દ્રશ્યો સામે આવ્યા છે.
ખાસ કરીને સી પમ્પીંગ સ્ટેશન પાસે નોટીફાઈડ વિભાગ દ્વારા બનાવેલ પાળો અને તેની નજીક મુકેલ ગેટ પર ઓવરફ્લો થઇને ઔદ્યોગિક વસાહતનું રાસાયણિક પાણી ખાડીમાં ધોધ સ્વરૂપે વહી રહ્યું હતું.આ અંગે જીવદયા પ્રેમીઓ જીપીસીબીને જાણ કરતા અધિકારીઓએ ત્વરિત અસરથી સ્થળ પર દોડી આવ્યા હતા અને સેમ્પલ લીધા હતા તેમજ નોટીફાઈડ વિભાગના અધિકારીઓ અને ઉદ્યોગ મંડળને પ્રિ મોન્સૂન કામગીરી અંતર્ગત પાળો ઉંચો કરવા તાકીદ કરવામાં આવી હતી. 
Advertisment