ભરૂચ: ખેડૂત સમાજ દ્વારા જમીન સંપાદન મામલે કલેક્ટરને રજૂઆત કરી આક્રોશ ઠલવાયો, જુઓ શું કરવામાં આવી માંગ

વડોદરાથી મુંબઇ વચ્ચે એક્સપ્રેસ હાઈવે માટે નેશનલ હાઇવે ઓથોરિટીએ જમીનો સંપાદિત કરી છે પણ વળતરના મામલે હવે ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવી રહયો છે.

New Update
ભરૂચ: ખેડૂત સમાજ દ્વારા જમીન સંપાદન મામલે કલેક્ટરને રજૂઆત કરી આક્રોશ ઠલવાયો, જુઓ શું કરવામાં આવી માંગ

ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ દ્વારા એક્સપ્રેસ હાઈવેમાં જમીન ગુમાવનાર જિલ્લાના ખેડૂતોને વલસાડ, નવસારી અને સુરત જિલ્લાના આપેલા ભાવ મુજબ વળતર આપવા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી

વડોદરાથી મુંબઇ વચ્ચે એક્સપ્રેસ હાઈવે માટે નેશનલ હાઇવે ઓથોરિટીએ જમીનો સંપાદિત કરી છે પણ વળતરના મામલે હવે ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવી રહયો છે. સુરત, વલસાડ અને નવસારી જિલ્લાના ખેડૂતોને જમીનોની મોં માગી કિમંત આપવામાં આવી છે જ્યારે ભરૂચ જિલ્લાના ખેડૂતોને મામુલી કિમત આપવામાં આવી છે.હાંસોટ તાલુકામાં પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી શરૂ કરવામાં આવતાં ખેડૂતો લાલઘૂમ થઇ ઉઠ્યાં છે.જમીનના બદલામાં યોગ્ય વળતર આપવામાં આવે તેવી માગ સાથે 3 તાલુકાના ખેડૂતોએ જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલ, કૌશિક પટેલ મહામંત્રી સહિતના પ્રતિનિધિઓની અધ્યક્ષતામાં ભરૂચ ક્લેકટરને આજરોજ આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી અને યોગ્ય વળતર આપવાની માંગ કરવામાં આવી હતી અને જો માંગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે

Read the Next Article

ભરૂચ: JCI ઇન્ડિયાના રાષ્ટ્રીય પ્રમુખે લીધી મુલાકાત, કામગીરીની કરી સમીક્ષા

ભરૂચના યુવાનોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત વૈશ્વિક સંસ્થા જેસીઆઈ ઇન્ડિયાના 2025ના રાષ્ટ્રીય પ્રમુખ જે.એફ.એસ.અંકુર જૂનજૂનવાલાએ ભરૂચની મુલાકાત લીધી

New Update
  • ભરૂચમાં યોજાયો કાર્યક્રમ

  • જેસીઆઈ ઇન્ડિયાના પ્રમુખે લીધી મુલાકાત

  • અંકુર જૂનજુનવાલાએ મુલાકાત લીધી

  • ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

  • આગામી કાર્યક્રમોની કરાય ચર્ચા

જેસીઆઈ ઇન્ડિયાના નેશનલ પ્રેસિડેન્ટ અંકુર જુનજુનવાલાએ ભરૂચ ચેપ્ટરની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી ભરૂચના યુવાનોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત વૈશ્વિક સંસ્થા જેસીઆઈ ઇન્ડિયાના 2025ના રાષ્ટ્રીય પ્રમુખ જે.એફ.એસ.અંકુર જૂનજૂનવાલાએ ભરૂચની મુલાકાત લીધી હતી.
તેઓ ઝોન-8ના પ્રવાસ અંતર્ગત અહીં પહોંચ્યા હતા જેમાં મોડાસાથી લઈને મુંબઈ સુધીના 14 જિલ્લામાં ભરૂચ પણ સામેલ છે.જેસીઆઈ ભરૂચના 2025ના પ્રમુખ તૃપ્તિ રાઠોડ અને અંકલેશ્વરના પ્રમુખ નિમિષા મોદીના નેતૃત્વમાં ભવ્ય રીતે સ્વાગત કરવામાં  આવ્યું હતું.ઝોન-8 ના ઝોનલ પ્રેસિડેન્ટ કિંજલ શાહ અને અન્ય ઝોન મેમ્બર્સ દ્વારા આગામી કાર્યક્રમોનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું.
Latest Stories