ભરૂચ: સમગ્ર વિશ્વમાં ભરૂચમાં ઉજવાતા મેઘઉત્સવમાં માનવ મહેરામણ ઉમટ્યું
સમગ્ર વિશ્વમાં માત્ર ભરૂચમાં ઉજવાય છે મેઘઉત્સવ, મેઘરાજાના મેળામાં માનવ મહેરામણ ઉમટયું
BY Connect Gujarat19 Aug 2022 12:54 PM GMT
X
Connect Gujarat19 Aug 2022 12:54 PM GMT
ભરૂચમાં વસતા ભોઈ સમાજ દ્વારા ઉજવાતા પરંપરાગત તહેવાર મેઘરાજાના ઉત્સવની ઉજવણીનો શ્રાવણ વદ સાતમના દિવસથી પ્રારંભ થયો હતો. કોરોના કોરોનાકાળના બે વર્ષ બાદ આ વર્ષે ઐતિહાસિક અને 255 વર્ષથી એકમાત્ર ભરૂચમાં ઉજવાતો ઉત્સવ તેમજ મેળાને લઈ લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આજરોજ આઠમના દિવસે ભોઈ સમાજ દ્વારા ઘોઘારાવના મંદિરે છડી ઉત્સવ નિમિત્તે છડી ઝુલાવામાં આવી હતી જેમાં રાજ્યના નાયબ મુખ્ય ધંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલ ,ભરૂચ જિલ્લા પોલીસવડા ડોક્ટર લીના પાટીલ, ભારતીય જનતા પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા,જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા સહિતના આગેવાનો જોડાયા હતા અને દર્શનનો લહાવો લઈ ધન્યતા અનુભવી હતી
Next Story