ભરૂચ: સમગ્ર વિશ્વમાં ભરૂચમાં ઉજવાતા મેઘઉત્સવમાં માનવ મહેરામણ ઉમટ્યું

સમગ્ર વિશ્વમાં માત્ર ભરૂચમાં ઉજવાય છે મેઘઉત્સવ, મેઘરાજાના મેળામાં માનવ મહેરામણ ઉમટયું

New Update
ભરૂચ: સમગ્ર વિશ્વમાં ભરૂચમાં ઉજવાતા મેઘઉત્સવમાં માનવ મહેરામણ ઉમટ્યું

ભરૂચમાં વસતા ભોઈ સમાજ દ્વારા ઉજવાતા પરંપરાગત તહેવાર મેઘરાજાના ઉત્સવની ઉજવણીનો શ્રાવણ વદ સાતમના દિવસથી પ્રારંભ થયો હતો. કોરોના કોરોનાકાળના બે વર્ષ બાદ આ વર્ષે ઐતિહાસિક અને 255 વર્ષથી એકમાત્ર ભરૂચમાં ઉજવાતો ઉત્સવ તેમજ મેળાને લઈ લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આજરોજ આઠમના દિવસે ભોઈ સમાજ દ્વારા ઘોઘારાવના મંદિરે છડી ઉત્સવ નિમિત્તે છડી ઝુલાવામાં આવી હતી જેમાં રાજ્યના નાયબ મુખ્ય ધંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલ ,ભરૂચ જિલ્લા પોલીસવડા ડોક્ટર લીના પાટીલ, ભારતીય જનતા પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા,જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા સહિતના આગેવાનો જોડાયા હતા અને દર્શનનો લહાવો લઈ ધન્યતા અનુભવી હતી

Read the Next Article

ભરૂચ: નેત્રંગના ધાંણીખુટ પાસે કરજણ નદી પર બનાવાયેલ બ્રિજ જર્જરીત હાલતમાં, તાત્કાલિક સમારકામની માંગ

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે. ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા

New Update
MixCollage-12-Jul-2025-

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે.

ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર નેત્રંગ તાલુકાના ધાંણીખુટ ગામ પાસેથી વહેતી કરજણ નદી પર વર્ષો જુનો નિમાઁણ થયેલ બ્રિજ પણ જજઁરીત હાલતમાં થઈ ગયો છે.
આ બ્રિજ ભરૂચ અને નર્મદા તેમજ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો  બ્રિજ છે. હાલ આ બ્રિજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના તાબા હેઠળ છે. અંકલેશ્વર,ભરૂચ, વડોદરા અને દહેજ જીઆઇડીસીના ઔદ્યોગિક એકમોમાં બનતી ભારેખમ મશીનરીઓ  મોટા વાહનો મારફત મહારાષ્ટ્ર થઈ અન્ય રાજ્યોમાં જાય છે.બાકી અન્ય ભારદારી વાહનો પણ રોજેરોજ આ બ્રિજ પરથી પસાર થઇ રહ્યા છે. તેવા સંજોગો ગંભીરા બ્રિજની બનેલ દુર્ઘટના બાદ સ્થાનિક રહીશોમાં આ બ્રિજની જજઁરીત હાલત જોઈ ને ભય સતાવી રહ્યો છે તેવા સંજોગોમાં જીલ્લા કલેક્ટર તેમજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધિકારીઓ આ બ્રિજની તાત્કાલિક તપાસ હાથ ધરે તેમજ બ્રિજ આજુબાજુ તુટી ગયેલ રેલીંગની મરામત કરે એવી માંગ ઉઠી છે.
Latest Stories