ભરૂચ : ધોળીકુઈ બજારના મોગલપુરામાં જર્જરિત નર્મદા શોપિંગ સેન્ટરની દીવાલ થઈ ધરાશાયી, જાનહાનિ ટળી...

ધોળીકુઈ બજાર સ્થિત મોગલપુરા વિસ્તારમાં આવેલ જર્જરિત નર્મદા શોપિંગ સેન્ટરની દીવાલ અચાનક ધરાશાયી થતાં લોકોમાં નાસભાગ મચી હતી.

New Update
ભરૂચ : ધોળીકુઈ બજારના મોગલપુરામાં જર્જરિત નર્મદા શોપિંગ સેન્ટરની દીવાલ થઈ ધરાશાયી, જાનહાનિ ટળી...

ભરૂચ શહેરના ધોળીકુઈ બજાર સ્થિત મોગલપુરા વિસ્તારમાં આવેલ જર્જરિત નર્મદા શોપિંગ સેન્ટરની દીવાલ અચાનક ધરાશાયી થતાં લોકોમાં નાસભાગ મચી હતી.

ભરૂચના ધોળીકુઈ બજાર નજીક મોગલપુરા વિસ્તાર સ્થિત જર્જરિત નર્મદા શોપિંગ સેન્ટરની દીવાલ અચાનક ધરાશાયી થતાં આસપાસના લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. કોઈ મોટી જાનહાનિ ન સર્જાય તે માટે સ્થાનિકો દ્વારા રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં કાટમાળ ખસેડવા સહિત જર્જરિત ઇમારતનો કેટલાક ભાગને ઊતારવાની કામગીરી હાથ ધરાય હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નહીં થતાં લોકોએ રાહત અનુભવી હતી, જ્યારે હવે નગરપાલિકા દ્વારા જર્જરિત ઇમારતોને લઇને તાત્કાલિક કોઈ પગલા લેવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.

Read the Next Article

અંકલેશ્વર: રામકુંડ ખાતે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરાયુ

દર વર્ષે રામકુંડના મહંત ગંગાદાસ મહારાજ દ્વારા ટર્સ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

New Update
MixCollage-08-Jul-2025-08-38-PM-8313

દર વર્ષે રામકુંડના મહંત ગંગાદાસ મહારાજ દ્વારા ટર્સ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે.

જેના ભાગરૂપે આજે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. 
જેમાં સંતોને પ્રસાદી જમાડીતેઓને ભેટ સ્વરૂપે છત્રી આપવામાં આવી હતી. આ ભંડારાનો 350થી વધુ સાધુ સંતોએ લાભ લીધો હતો.
Latest Stories