ભરૂચ : અમદાવાદના નરોડામાં થયેલ અનુસૂચિત જાતિની મહિલાના હત્યાના બનાવથી સમાજમાં રોષ...

અનુસૂચિત જાતિની મહિલાના હત્યાના બનાવમાં ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકા સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો દ્વારા જંબુસર પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

New Update
ભરૂચ : અમદાવાદના નરોડામાં થયેલ અનુસૂચિત જાતિની મહિલાના હત્યાના બનાવથી સમાજમાં રોષ...

અમદાવાદના નરોડા વિસ્તારમાં થયેલ અનુસૂચિત જાતિની મહિલાના હત્યાના બનાવમાં ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકા સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો દ્વારા જંબુસર પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

Advertisment W3.CSS

અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં થયેલ અનુસૂચિત જાતિની મહિલાના હત્યાના બનાવમાં ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકા સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો દ્વારા જંબુસર પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. અમદાવાદ મુકામે સફાઈ કામ કરતી મહિલા પર અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યાં કરવામાં આવી હતી, જેને ખૂબ જ દુઃખદ ઘટના ગણાવી સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોએ તંત્રને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. તો બીજી તરફ, આ મામલે હજુ સુધી એકપણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી, ત્યારે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજને ન્યાય મળે તેવી જંબુસર તાલુકાના આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી છે.