ભરૂચ : સ્માર્ટ બજારના પાર્કિંગમાંથી બાઇકની ચોરી કરતો તસ્કર CCTVમાં કેદ, પોલીસ તપાસ શરૂ...

ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ સ્માર્ટ બજાર ખાતે વાહન ચાલકો માટે અંડર ગ્રાઉન્ડ પાર્કિંગની વ્યવસ્થા રાખવામાં આવેલ છે.

New Update
ભરૂચ : સ્માર્ટ બજારના પાર્કિંગમાંથી બાઇકની ચોરી કરતો તસ્કર CCTVમાં કેદ, પોલીસ તપાસ શરૂ...

ભરૂચ શહેરના સ્માર્ટ બજારના પાર્કિંગમાંથી મોટર સાયકલ ચોરીની ફરિયાદ નોધાવા પામી છે. જેમાં પાર્કિંગમાંથી બાઇકની ચોરી કરતો તસ્કર CCTVમાં કેદ થતાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Advertisment

ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ સ્માર્ટ બજાર ખાતે વાહન ચાલકો માટે અંડર ગ્રાઉન્ડ પાર્કિંગની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. જેમાં સૈફલ ઐયુબ પટેલે પોતાની સ્પ્લેન્ડર મોટર સાયકલ નંબર GJ-16-BH-2003 પાર્ક કરી ગયા હતા. આ દરમ્યાન પાર્કિંગ એરિયામાં એક તસ્કરે પ્રવેશી પોતાની પાસે રહેલી ચાવીથી અહી પાર્ક કરાયેલ તમામ બાઈકોના એક બાદ એક લોક ખોલવાનો પ્રયાસ કર્યો હતો, અને અંતે એક મોટર સાયકલનું લોક ખુલી જતાં તેની ચોરી કરી રફુચક્કર થઈ ગયો હતો. કામ પતાવી મોટર સાયકલ માલિકે પાર્કિંગમાં આવી જોતાં પોતાની બાઇક નજરે નહીં પડતાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. આ અંગે પાર્કિંગમાં લગાવેલ CCTV કેમેરા ચેક કરતા મોટર સાયકલની ચોરી કરતો તસ્કર CCTVમાં કેદ થયો હોવાનું જણાયું હતું. જેના આધારે મોટર સાયકલ માલિકે ચોરીની ફરિયાદ એ’ ડિવિઝન પોલીસ મથકે નોધાવતા પોલીસે CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisment
Read the Next Article

“સમાજની દીકરી સમાજમાં...” : શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ-ભરૂચ દ્વારા 6ઠ્ઠું જીવનસાથી પસંદગી સંમેલન યોજાયું...

આત્મીય હોલ સ્થિત શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ-ભરૂચ શહેર દ્વારા છઠ્ઠું જીવનસાથી પસંદગી સંમેલન સહિત બ્રહ્મસમાજના સન્માનિત ભૂદેવોનું સન્માન કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

author-image
By Connect Gujarat Desk
New Update
  • સમાજની દીકરી સમાજમાં જ રહે તેવો ઉમદા ઉદ્દેશ

  • શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ-ભરૂચ દ્વારા આયોજન

  • આત્મીય હોલમાં જીવનસાથી પસંદગી સંમેલન યોજાયું

  • સંમેલનમાં 200થી વધુ દીકરા-દીકરીઓએ ભાગ લીધો

  • સન્માનીત ભૂદેવોના સન્માનનું પણ વિશેષ આયોજન

Advertisment

સમાજની દીકરી સમાજમાં જ રહે તેવા ઉમદા ઉદ્દેશ સાથે ભરૂચ શહેરના આત્મીય હોલ ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ-ભરૂચ શહેર દ્વારા છઠ્ઠું જીવનસાથી પસંદગી સંમેલન સહિત ભૂદેવોના સન્માન કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ શહેરના કોલેજ રોડ સ્થિત આત્મીય હોલ સ્થિત શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ-ભરૂચ શહેર દ્વારા છઠ્ઠું જીવનસાથી પસંદગી સંમેલન સહિત બ્રહ્મસમાજના સન્માનિત ભૂદેવોનું સન્માન કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંમેલનના પ્રારંભે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલામાં મોતને ભેટેલા પર્યટકો તેમજ ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા ભારતના વીર સંપૂતોના સન્માનમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. પસંદગી સંમેલનમાં 200થી વધુ દીકરા-દીકરીઓએ ભાગ લીધો હતો.

આ સાથે જ સન્માનિત બ્રહ્મઆગેવાનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ દક્ષિણ ગુજરાતના પ્રભારી યોગેશ જોશીમહિલા અગ્રણી ગુજરાતના પ્રજ્ઞા રાવલભરૂચના બ્રહ્મ અગ્રણી અને જાણીતા કર્મકાંડી ગિરીશ શુક્લશ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંત રાવલચેરમેન શૈલેષ દવેબ્રહ્મઅગ્રણી પ્રદીપ રાવલઅનિલ પંડ્યાવિશ્વ હિન્દુ પરિષદ અગ્રણી અજય વ્યાસભરૂચ શહેર બ્રહ્મસમાજ પ્રમુખ હેમંત શુક્લ સહિત મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મહામંત્રી રાજુ ભટ્ટ તેમજ દિપ્તી ભટ્ટએ કર્યું હતું.

Advertisment