ભરૂચ : સ્માર્ટ બજારના પાર્કિંગમાંથી બાઇકની ચોરી કરતો તસ્કર CCTVમાં કેદ, પોલીસ તપાસ શરૂ...

ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ સ્માર્ટ બજાર ખાતે વાહન ચાલકો માટે અંડર ગ્રાઉન્ડ પાર્કિંગની વ્યવસ્થા રાખવામાં આવેલ છે.

New Update
ભરૂચ : સ્માર્ટ બજારના પાર્કિંગમાંથી બાઇકની ચોરી કરતો તસ્કર CCTVમાં કેદ, પોલીસ તપાસ શરૂ...

ભરૂચ શહેરના સ્માર્ટ બજારના પાર્કિંગમાંથી મોટર સાયકલ ચોરીની ફરિયાદ નોધાવા પામી છે. જેમાં પાર્કિંગમાંથી બાઇકની ચોરી કરતો તસ્કર CCTVમાં કેદ થતાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ સ્માર્ટ બજાર ખાતે વાહન ચાલકો માટે અંડર ગ્રાઉન્ડ પાર્કિંગની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. જેમાં સૈફલ ઐયુબ પટેલે પોતાની સ્પ્લેન્ડર મોટર સાયકલ નંબર GJ-16-BH-2003 પાર્ક કરી ગયા હતા. આ દરમ્યાન પાર્કિંગ એરિયામાં એક તસ્કરે પ્રવેશી પોતાની પાસે રહેલી ચાવીથી અહી પાર્ક કરાયેલ તમામ બાઈકોના એક બાદ એક લોક ખોલવાનો પ્રયાસ કર્યો હતો, અને અંતે એક મોટર સાયકલનું લોક ખુલી જતાં તેની ચોરી કરી રફુચક્કર થઈ ગયો હતો. કામ પતાવી મોટર સાયકલ માલિકે પાર્કિંગમાં આવી જોતાં પોતાની બાઇક નજરે નહીં પડતાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. આ અંગે પાર્કિંગમાં લગાવેલ CCTV કેમેરા ચેક કરતા મોટર સાયકલની ચોરી કરતો તસ્કર CCTVમાં કેદ થયો હોવાનું જણાયું હતું. જેના આધારે મોટર સાયકલ માલિકે ચોરીની ફરિયાદ એ’ ડિવિઝન પોલીસ મથકે નોધાવતા પોલીસે CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

ભરૂચ: મનરેગા કૌભાંડ મામલે વડોદરાના સાંસદ હેમાંગ જોશીનું નિવેદન, ભાજપ કોઈ પણ કૌભાંડીઓને છોડતી નથી

નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા ભરૂચમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રશ્ને વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ જવાબ આપ્યા હતા.

New Update

નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ

ભરૂચમાં ભાજપ દ્વારા કરાયુ આયોજન

પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયુ

સાંસદ હેમાંગ જોશીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી

વિવિધ પ્રશ્ને આપ્યા જવાબ

નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા ભરૂચમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રશ્ને વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ જવાબ આપ્યા હતા.
નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ કાર્યક્રમો અંતર્ગત ભરૂચમાં રોટરી હોલ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોષીએ પ્રેસ કોન્ફન્સ સંબોધી હતી.પત્રકાર પરિષદ દરમિયાન નરેન્દ્ર મોદી સરકારના ગયા 11 વર્ષના કાર્યકાળમાં થયેલા વિકાસ કાર્યોની વિગતો રજૂ કરવામાં આવી હતી.આ દરમિયાન પત્રકારો દ્વારા ભરૂચમાં થયેલા મનરેગા કૌભાંડ મુદ્દે સાંસદ ડૉ. હેમાંગ જોશીને પ્રશ્ન કરાતા તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભાજપ સરકાર કોઈ પણ કૌભાંડીઓ બચાવતી નથી અને આવનારા સમયમાં જે પણ દોષિત જણાશે તેની સામે  સખત  પગલાં લેવાશે.
આ તરફ તાજેતરમાં સાંસદ મનસુખ વસાવા દ્વારા પોતાના પક્ષના નેતાઓ ઉપર સહયોગ ન મળવા બાબતે કરાયેલા નિવેદન અંગે પણ પ્રશ્ન કરાયો હતો. જેના જવાબમાં ડૉ. હેમાંગ જોષીએ જણાવ્યું હતું કે, "મનસુખભાઈ અમારા આદરણીય વડીલ છે. તેઓ હંમેશા પક્ષની ચિંતા રાખે છે કહી વિવાદ પર ઠંડુ પાણી રેડવાનો તેઓએ પ્રયાસ કર્યો હતો.
પત્રકાર પરિષદમાં ભરૂચ ભાજપના પ્રભારી જનક બગદાણાવાળા, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી નિરલ પટેલ તથા કાર્યક્રમ સંયોજક દિવ્યેશ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.