ભરૂચ : AAPના MLA ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજ દિવાળીની ઉજવણી નહીં કરે..!

નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજ દિવાળીની ઉજવણી નહીં કરે

New Update
ભરૂચ : AAPના MLA ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજ દિવાળીની ઉજવણી નહીં કરે..!

નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજ દિવાળીની ઉજવણી નહીં કરે તે અંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ અને આપના આગેવાનોએ નેત્રંગ મામલતદાર કચેરીએ આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ વન વિભાગના કર્મચારીને માર મારવારી અને ફાયરીંગ કરવાની ફરીયાદ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં દાખલ થતાં અંબાજી-ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારમાં ખળભરાટ મચી જવા પામ્યો છે. જે બાદ ધારાસભ્ય ચૈતર વસાવા ભુગર્ભમાં ઉતરી જતાં પોલીસની પકડથી હાલ દૂર છે. પરંતુ ચૈતર વસાવાના સમર્થનમાં કોંગ્રેસ અને આપ મેદાનમાં ઉતરી દરેક તાલુકા મથકે આવેદન પત્ર આપી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. જેમાં નેત્રંગ મામલતદાર કચેરીમાં ઘસી આવી કોંગ્રેસ અને આપના કાર્યકરોએ ભારે સુત્રોચ્ચાર વચ્ચે ચૈતર વસાવાના સમર્થનમાં મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું. આપ-કોંગ્રેસના આગેવાનોએ અંબાજી-ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારમાં ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજ દિવાળીની ઉજવણી નહીં કરે તેવી જાહેરાત કરી હતી. આ દરમ્યાન ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરીમલસિંહ રણા, કોંગી નેતા સંદિપ માંગરોલા, યુવા આગેવાન શેરખાન પઠાણ તેમજ મોટી સંખ્યામાં આપના નેતાઓ અને કાર્યકરો જોડાયા હતા.

Read the Next Article

અંકલેશ્વર: NH 48 પર ટ્રાફિકજામની રોજિંદી સમસ્યા, બિસ્માર માર્ગોના પગલે સમસ્યા

અંકલેશ્વર નેશનલ હાઇવે પર  આમલાખાડી પરના બિસ્માર બ્રિજ અને હાઇવેનો માર્ગ ખખડધજ બનતા સતત ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અંકલેશ્વર નેશનલ હાઇવે

New Update
MixCollage-09-Jul-2025-08-21-PM-8778

અંકલેશ્વર નેશનલ હાઇવે પર  આમલાખાડી પરના બિસ્માર બ્રિજ અને હાઇવેનો માર્ગ ખખડધજ બનતા સતત ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ આમલાખાડી પરનો બ્રિજ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બન્યો છે.બીજી તરફ ચોમાસુ જામતા જ હાઇવે પર ખાડાઓની ભરમાર છે.તેવામાં રોજેરોજ ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે.વાહનોનું ભારણ અને બ્રિજ જર્જરિત,રસ્તા પર ખાડાઓ પડતા વાહન ચાલકો પોતાનો કિંમતી સમય સાથે ઇંધણ બગાડી રહ્યા છે.દિવસે દિવસે માથાના દુખાવા સમાન બનેલ આ ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં આવે તે જરૂરી છે.તંત્ર યોગ્ય નિરાકરણ લાવે એવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે