ભરૂચ : પોલીસ બનવા માટે યુવાઓની તનતોડ મહેનત, 10 સ્થળોએ અપાશે તાલીમ

પોલીસ બનવાના શમણાને સાકાર કરવા માટે યુવક અને યુવતીઓ આકરી મહેનત કરી રહયાં છે.

New Update
ભરૂચ : પોલીસ બનવા માટે યુવાઓની તનતોડ મહેનત, 10 સ્થળોએ અપાશે તાલીમ

ગુજરાત રાજયમાં પોલીસ વિભાગે પીએસઆઇ તથા એલઆરડીની ભરતી માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પોલીસ બનવાના શમણાને સાકાર કરવા માટે યુવક અને યુવતીઓ આકરી મહેનત કરી રહયાં છે.

ભારતીય સૈન્ય અને પોલીસ વિભાગમાં નોકરી મેળવવી એ સૌ કોઇનું સ્વપ્ન હોય છે. હાલમાં ગુજરાત પોલીસ વિભાગમાં હાલ પીએસઆઇ તથા લોકરક્ષકની ભરતી નીકળી છે. પીએસઆઇ અને એલઆરડી બનવા માટે 10 લાખ કરતાં વધારે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. ભરૂચ જિલ્લામાં પણ ઉમેદવારોને તાલીમ મળી રહે તે માટે 10 મેદાનો ફાળવવામાં આવ્યાં છે. કનેકટ ગુજરાતની ટીમ ભરૂચના કાળી તલાવડી સ્થિત મેદાન ખાતે પહોંચી હતી અને ઉમેદવારો સાથે વાતચીત કરી હતી.

ગુજરાતના યુવાનોમાં એલઆરડી તથા પીએસઆઇની ભરતીને લઇ ભારે ઉત્સાહ જોવા મળી રહયો છે. પોલીસ વિભાગમાં નોકરી મેળવવા માટે યુવક અને યુવતીઓ પરસેવો પાડી રહયાં છે. ભરૂચમાં ઉમેદવારોને તાલીમ આપવા માટે વિજયસિંહની નિમણુંક કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, પોલીસ વિભાગમાં જે પ્રમાણે તાલીમ આપવામાં આવે તે પ્રકારે જ ઉમેદવારોને તાલીમ આપવામાં આવશે.

કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે માટે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દિવસ-રાત ફરજ બજાવતાં હોય છે. પોલીસ સ્ટેશનોમાં ફાળવવામાં આવેલા મહેકમની સામે કર્મીઓની ઓછી સંખ્યાથી સ્ટાફ માનસિક તણાવ અનુભવતો હોય છે. આવા સંજોગોમાં રાજય સરકારે ભરતીનો મહત્વપુર્ણ નિર્ણય કર્યો છે. રાજયના નવનિયુકત ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉમેદવારોને સતત પ્રોત્સાહિત કરી રહયાં છે. કનેકટ ગુજરાતની ટીમ પણ દરેક ઉમેદવારો સફળતાના શિખરો સર કરે તેવી શુભકામનાઓ પાઠવે છે.

Read the Next Article

અંકલેશ્વરથી વાલિયા-નેત્રંગને જોડતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

New Update
  • અંકલેશ્વરથી નેત્રંગને જોડતા માર્ગની કામગીરી

  • રૂ.55 કરોડના ખર્ચે માર્ગનું થઈ રહ્યું છે નિર્માણ

  • માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

  • કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચરાય

  • કોર્ટ કેસની પણ ચીમકી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
ભરૂચના વાલિયા તાલુકાના સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા બાદ નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરી અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલી ભગતથી હલકી ગુણવત્તાની કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.અંકલેશ્વર-વાલિયા અને નેત્રંગને જોડતો રાજ્ય ધોરીમાર્ગ નંબર-13 પ્રથમ વરસાદે જ બિસ્માર બન્યો છે.ઠેરઠેર ખાડાઓ અને માર્ગ તૂટી ગયો હોવાથી તેમાં યોગ્ય સામગ્રી વાપરવા નહીં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે.તે રીતે 55 કરોડના ખર્ચે બની રહેલ નેત્રંગ-અંકલેશ્વર માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવા સાથે અધિકારી,કોન્ટ્રાકટર સહિત લાગતા વળતા વિભાગના મંત્રીનો હાથ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.જો આ કામગીરી સારી ગુણવત્તાની નહીં કરવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામા આવી છે.અને  માર્ગનું નિર્માણ કરનાર શિવાલય ઈંફાસ્ટ્રક્ચર એજન્સી તેમજ અધિકારી સામે કોર્ટ કેસ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.