ભરૂચનું “ગૌરવ”: લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની વિદ્યાર્થીનીએ GTU-ફાર્મસીની પરીક્ષામાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો...

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા વર્ષ 2023-24માં લેવાયેલ ફાર્મસીના સેમેસ્ટર-1ની વાર્ષિક પરીક્ષામાં ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની વિદ્યાર્થીની વાસદેવ સુખદીપે દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરી કોલેજ તથા પરિવારનું ગૌરવ વધાર્યું છે.

New Update
ભરૂચનું “ગૌરવ”: લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની વિદ્યાર્થીનીએ GTU-ફાર્મસીની પરીક્ષામાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો...

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા વર્ષ 2023-24માં લેવાયેલ ફાર્મસીના સેમેસ્ટર-1ની વાર્ષિક પરીક્ષામાં ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની વિદ્યાર્થીની વાસદેવ સુખદીપે દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરી કોલેજ તથા પરિવારનું ગૌરવ વધાર્યું છે.

ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલી અને વાલીઓ તથા વિદ્યાર્થીઓમાં લોકપ્રિય બની રહેલી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી અભ્યાસની સાથે સાથે ઇતર પ્રવૃતિઓ થકી છાત્રોમાં રહેલી ગર્ભિત શક્તિઓને બહાર લાવવા માટે સતત પ્રયાસશીલ રહેતી હોય છે, ત્યારે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા વર્ષ 2023-24માં લેવાયેલ ફાર્મસીના સેમેસ્ટર-1ની વાર્ષિક પરીક્ષામાં લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની વિદ્યાર્થીની વાસદેવ સુખદીપ એ SPI 9.79 સાથે દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરી કોલેજ તથા પરિવારનું ગૌરવ વધાર્યું છે. વિદ્યાર્થીની વાસદેવ સુખદીપને અનોખી સિદ્ધિ બદલ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ભરૂચના સમસ્ત ટ્રસ્ટીગણ, પ્રિન્સીપાલ અને સ્ટાફગણ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories