ગુજરાતની ચૂંટણીમાં BTP-JDUના ગઠબંધનની જાહેરાત, જુઓ આદિવાસી નેતા છોટુ વસાવાએ શું કહ્યું

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભારતીય ટ્રાયબલ પાર્ટી અને જનતા દળ યુનાઈટેડના ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે.

New Update
ગુજરાતની ચૂંટણીમાં BTP-JDUના ગઠબંધનની જાહેરાત, જુઓ આદિવાસી નેતા છોટુ વસાવાએ શું કહ્યું

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભારતીય ટ્રાયબલ પાર્ટી અને જનતા દળ યુનાઈટેડના ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકીય પાર્ટી દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં પ્રભુત્વ ધરાવતી ભારતીય ટ્રાયબલ પાર્ટી દ્વારા પહેલા આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવામાં આવ્યું હતું જો કે બાદમાં સીટની વહેચણી બાબતે ડખો થતા બાદમાં ગઠબંધન અધવચ્ચેથી જ તૂટી ગયું હતું ત્યારે હવે બારતીય ટ્રાયબલ પાર્ટી દ્વારા નિતિશ કુમારના જનતા દળ સાથે ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે.

છોટુ વસાવા દ્વારા ઘણા વર્ષો અગાઉ જનતા દળના નામે જ રાજકીય સફરની શરૂઆત કરવામાં આવી હતી જો કે ત્યાર બાદ તેઓએ જાતે ભારતીય ટ્રાયબલ પારી નામે નવી પક્ષ બનાવવામાં આવ્યો હતો ત્યારે ફરી એકવાર તેઓ તેમના જૂના જોગી સાથે આ ચૂંટણીમાં પરત ફરી રહ્યા છે.

Read the Next Article

ભરૂચ: મનરેગા કૌભાંડ મામલે વડોદરાના સાંસદ હેમાંગ જોશીનું નિવેદન, ભાજપ કોઈ પણ કૌભાંડીઓને છોડતી નથી

નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા ભરૂચમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રશ્ને વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ જવાબ આપ્યા હતા.

New Update

નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ

ભરૂચમાં ભાજપ દ્વારા કરાયુ આયોજન

પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયુ

સાંસદ હેમાંગ જોશીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી

વિવિધ પ્રશ્ને આપ્યા જવાબ

નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા ભરૂચમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રશ્ને વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ જવાબ આપ્યા હતા.
નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ કાર્યક્રમો અંતર્ગત ભરૂચમાં રોટરી હોલ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોષીએ પ્રેસ કોન્ફન્સ સંબોધી હતી.પત્રકાર પરિષદ દરમિયાન નરેન્દ્ર મોદી સરકારના ગયા 11 વર્ષના કાર્યકાળમાં થયેલા વિકાસ કાર્યોની વિગતો રજૂ કરવામાં આવી હતી.આ દરમિયાન પત્રકારો દ્વારા ભરૂચમાં થયેલા મનરેગા કૌભાંડ મુદ્દે સાંસદ ડૉ. હેમાંગ જોશીને પ્રશ્ન કરાતા તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભાજપ સરકાર કોઈ પણ કૌભાંડીઓ બચાવતી નથી અને આવનારા સમયમાં જે પણ દોષિત જણાશે તેની સામે  સખત  પગલાં લેવાશે.
આ તરફ તાજેતરમાં સાંસદ મનસુખ વસાવા દ્વારા પોતાના પક્ષના નેતાઓ ઉપર સહયોગ ન મળવા બાબતે કરાયેલા નિવેદન અંગે પણ પ્રશ્ન કરાયો હતો. જેના જવાબમાં ડૉ. હેમાંગ જોષીએ જણાવ્યું હતું કે, "મનસુખભાઈ અમારા આદરણીય વડીલ છે. તેઓ હંમેશા પક્ષની ચિંતા રાખે છે કહી વિવાદ પર ઠંડુ પાણી રેડવાનો તેઓએ પ્રયાસ કર્યો હતો.
પત્રકાર પરિષદમાં ભરૂચ ભાજપના પ્રભારી જનક બગદાણાવાળા, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી નિરલ પટેલ તથા કાર્યક્રમ સંયોજક દિવ્યેશ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.