ભરૂચ મુરઝાયેલા ફૂલના ધંધા માં દશેરાએ જોવા મળી તેજી,લોકોએ અઢળક ફૂલો ખરીદ્યા

ભરૃચની પૂર્વ પટ્ટી પર ખૂબ મોટા પ્રમાણમાં ગલગોટા,ગુલાબ સહિત વિવિધ ફૂલોની ખેતી થાય છે.

New Update
ભરૂચ મુરઝાયેલા ફૂલના ધંધા માં દશેરાએ જોવા મળી તેજી,લોકોએ અઢળક ફૂલો ખરીદ્યા

નવરાત્રીમાં ફૂલના ધંધામાં મંદી રહેતા ફૂલના વ્યવસાયકારો ચિંતામાં મુકાયા હતા પણ આઠમ થી દશેરા દરમ્યાન ફૂલોની માંગ વધતા વેપારીઓના ચહેરા ખીલી ઉઠ્યા હતા. ભરૃચની પૂર્વ પટ્ટી પર ખૂબ મોટા પ્રમાણમાં ગલગોટા,ગુલાબ સહિત વિવિધ ફૂલોની ખેતી થાય છે.જેની માંગ ભરૃચ ઉપરાંત અન્યત્ર પણ જોવા મળે છે.

ભરૃચના ફૂલ બજારમાં આ વર્ષે ફૂલોની સીઝન કહેવાય તેવા નવરાત્રીની શરૂઆત થવા છતાં ફૂલની માંગ ઓછી રહેતા કેટલાયે ટન ફૂલ વેપારીઓને ફેંકી દેવાની ફરજ પડતાં મંદીના ડરથી કપાળે ચિંતાની રેખાઓ ઉપસી આવી હતી.પણ નવરાત્રીની આઠમથી ફૂલોના બજારમાં તેજી આવવા માંડી હતી અને દશેરાએ તો ઘોડો પૂરપાટ વેગે દોડતા મુરઝાયેલા ફૂલોના વેપારીઓના ચહેરા પણ ફૂલની જેમ ખીલી ઉઠ્યા હતા.આગામી દિવસોમાં પણ વિવિધ તહેવારો અને તે બાદ લગ્નસરાની શરૂઆત થનાર હોય ફૂલના બજારમાં તેજી રહેશે તેમ માનવામાં આવી રહ્યું છે

Read the Next Article

ભરૂચ: પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ પૂર્વ CM વિજય રૂપાણીને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા, શોકસભાનું કરાયુ આયોજન

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા 

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • ભાજપ દ્વારા શોકસભાનું આયોજન

  • સ્વ.વિજય રૂપાણીને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

  • ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિત

  • સ્વ.વિજય રૂપાણીના કાર્યોને યાદ કરાયા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા 
તાજેતરમાં વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે ભરૂચ શહેરમાં શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શોકસભામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જિલ્લાના ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી,પૂર્વ ધારાસભ્ય અને સંઘ પ્રદેશ ભાજપના પ્રભારી દુષ્યંત પટેલ, પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.શોકસભામાં પક્ષના કાર્યકરો તથા વિભિન્ન સમાજના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. કાર્યક્રમના અંતે સૌએ પ્રાર્થના કરી સ્વ.વિજય રૂપાણીના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.
Latest Stories