અંકલેશ્વર ઉદ્યોગ મંડળના વર્ષ 2023-24ની ચૂંટણી, AIA ખાતે મતદાન પ્રક્રિયા હાથ ધરાય…

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઉદ્યોગ મંડળના વર્ષ 2023-24ની જનરલ કેટેગરીની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે.

New Update
અંકલેશ્વર ઉદ્યોગ મંડળના વર્ષ 2023-24ની ચૂંટણી, AIA ખાતે મતદાન પ્રક્રિયા હાથ ધરાય…

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઉદ્યોગ મંડળના વર્ષ 2023-24ની જનરલ કેટેગરીની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આજરોજ AIA ખાતે 8 બેઠકોના ઉમેદવારો માટે મતદાન પ્રક્રિયા યોજાય હતી.

અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી માટે જનરલ કેટેગરીની 8 બેઠક ઉપર 16 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. તો રિઝર્વ કેટેગરીની એક બેઠક માટે 3 ઉમેદવાર મેદાનમાં આવ્યા છે, જ્યારે કોર્પોરેટ કેટેગરીની એક બેઠક માટે એક જ ઉમેદવારે ફોર્મ ભર્યું છે. 3 ફોર્મ રદ થયા બાદ તા. 13 જૂનના રોજ 30 પૈકી હવે 16 ઉમેદવાર બચ્યા છે, ઉલ્લેખનીય છે કે, 1250થી વધુ મતદારો ધરાવતા AIAમાં છેલ્લા 9 વર્ષથી સહયોગ પેનલ સત્તારૂઢ છે. જેમાં અગાઉ 3 વર્ષ ચૂંટણી બિન હરીફ રહ્યા બાદ ગત વર્ષે 5 વ્યક્તિ જનરલ કેટેગરીમાં ઉભા રહેતા ચૂંટણીનો જંગ જામ્યો હતો. તો આ વર્ષે જનરલ કેટેગરીમાં સત્તાપક્ષની સહયોગ પેનલના 8 ઉમેદવારો સામે બીજી પેનલના 8 ઉમેદવારો રહ્યા છે. જેથી આ વખતે વિકાસ અને સહયોગ પેનલના 8-8 સભ્યો મળી કુલ 16 સભ્યોએ આમને સામને ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે, ત્યારે કંઇ પેનલના કેટલા ઉમેદવારો ઉદ્યોગ મંડળમાં સ્થાન મેળવશે અને કેટલા ઉમેદવારોને નિરાશા વેઠવી પડશે તેના પર ઉદ્યોગપતિઓ મીટ માંડીને બેઠા છે.

Read the Next Article

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો, રાજ્યના કુલ 9 જિલ્લાઓ હવામાન વિભાગે 'ઓરેન્જ' અને 'યલો' એલર્ટ કર્યા જાહેર

હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. આ વચ્ચે, હવામાન વિભાગે આવતીકાલે એટલે કે જુલાઈ 7 ના રોજ પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે,

New Update
guj

હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. આ વચ્ચે, હવામાન વિભાગે આવતીકાલે એટલે કે જુલાઈ 7 ના રોજ પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે, જે દર્શાવે છે કે ચોમાસું 2025 રાજ્યમાં સંપૂર્ણપણે સક્રિય છે.

આવતીકાલનું હવામાન રાજ્યના કુલ 9 જિલ્લાઓ માટે મહત્ત્વનું રહેશે, જ્યાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડવાની શક્યતા છે. આ અંગે હવામાન વિભાગે 'ઓરેન્જ' અને 'યલો' એલર્ટ જાહેર કર્યા છે.

આવતીકાલના વરસાદની આગાહી અને એલર્ટ

હવામાન વિભાગના વરસાદ સમાચાર મુજબ, આવતીકાલે જુલાઈ 7 ના રોજ દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓ – નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલી માં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે, જેના પગલે 'ઓરેન્જ એલર્ટ' આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં વહીવટી તંત્રને સાબદું રહેવા અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.

આ ઉપરાંત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અન્ય પાંચ જિલ્લાઓ – અમરેલી, ભાવનગર, સુરત, તાપી અને ડાંગ માં પણ ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને 'યલો એલર્ટ' જાહેર કરાયું છે.

તંત્ર અને નાગરિકો માટે સૂચનાઓ

વરસાદની આ આગાહીને પગલે સ્થાનિક તંત્ર દ્વારા નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને 'ઓરેન્જ એલર્ટ' ધરાવતા વિસ્તારોમાં લોકોને બિનજરૂરી રીતે બહાર ન નીકળવા, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે તેવી શક્યતા હોવાથી સાવધ રહેવા, અને વીજળીના કડાકા-ભડાકા સમયે સુરક્ષિત સ્થળે આશ્રય લેવા જણાવાયું છે. વરસાદના કારણે દરિયામાં ભારે કરંટ જોવા મળી શકે છે, જેથી માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

Latest Stories