ભરૂચ:બાર એસોસીએશનના પ્રમુખ સહિત કમિટીની ચૂંટણી માટે ઉત્સાહભેર મતદાન,ત્રણ પેનલ વચ્ચે જંગ

બાર એસોસીએશનના પ્રમુખ સહિત કમિટીની ચૂંટણી માટે ઉત્સાહભેર મતદાન યોજાયુ હતું જેમાં ત્રણ પેનલ વચ્ચે જંગ જામ્યો

New Update
ભરૂચ:બાર એસોસીએશનના પ્રમુખ સહિત કમિટીની ચૂંટણી માટે ઉત્સાહભેર મતદાન,ત્રણ પેનલ વચ્ચે જંગ

ભરૂચ બાર એસોસીએશનના પ્રમુખ સહિત કમિટીની ચૂંટણી માટે ઉત્સાહભેર મતદાન યોજાયુ હતું જેમાં ત્રણ પેનલ વચ્ચે જંગ જામ્યો હતો ભરૃચ બાર એસોસીએશનની ચૂંટણી માટેનું મતદાન ઉત્તેજના અને ઉત્સાહભર્યા માહોલમાં યોજાયું હતું.જેમાં ત્રણ પેનલ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો.

791 સભ્યો ધરાવતા ભરૃચ બાર એસોસિયેશનના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત કમિટી મેમ્બરની 16 જગ્યા માટે ન્યાયાલય સંકુલ ખાતે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી.શાંતિભર્યા અને ઉત્તેજનાસભર માહોલમાં યોજાયેલ ચૂંટણીમાં સહકાર, પરિવર્તન અને પોગ્રેસીવ એમ ત્રણ પેનલના 48 થી વધુ ઉમેદવારો વચ્ચે ચૂંટણીજંગ જામ્યો હતો.જેમાં પ્રમુખ પદ માટે પૂર્વ પ્રમુખ પધ્યુમનસિંહ સિંધા, ભરતસિંહ ચાવડા તેમજ એડવોકેટ મન્સૂરી વચ્ચે જંગ ખેલાયો છે.ભરૃચ બાર એસોસિયેશનના કુલ 791 સભ્યો મતદાન કરશે.મતદાન દરમ્યાન ત્રણેય પેનલના સંયોજક જીતનો દાવો કરી રહ્યા છે.

Read the Next Article

ભરૂચ : યુનિયન સ્કૂલમાં શાળામાં પ્રવેશોત્સવ યોજાયો, બાળકોને શૈક્ષણિક કીટ આપીને આપ્યો આવકાર

ભરૂચ શહેરની યુનિયન સ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ હર્ષોલ્લાસ સાથે યોજાયો હતો.નાના બાળકોએ પ્રથમવાર શાળામાં પ્રવેશ મેળવતા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો

New Update
  • ભરૂચમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી

  • યુનિયન સ્કૂલ ખાતે યોજાયો કાર્યક્રમ

  • શાળામાં બાળકોને આપવામાં આવ્યો આવકાર

  • બાળકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

  • બાળકોને શૈક્ષણિક કીટનું પણ કરાયું વિતરણ    

ભરૂચ શહેરની યુનિયન સ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ હર્ષોલ્લાસ સાથે યોજાયો હતો.નાના બાળકોએ પ્રથમવાર શાળામાં પ્રવેશ મેળવતા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.આ પ્રસંગે શાળામાં બાળકોને શૈક્ષણિક કીટ આપીને તેમને ઉમળકાભેર આવકાર આપવામાં આવ્યો હતો.

ભરૂચ શહેરની યુનિયન સ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ હર્ષોલ્લાસ સાથે યોજાયો હતો.નાના બાળકોએ પ્રથમવાર શાળામાં પ્રવેશ મેળવતા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.આ પ્રસંગે શાળામાં બાળકોને શૈક્ષણિક કીટ આપીને તેમને ઉમળકાભેર આવકાર આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ભૂતપૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિત શાળાના ટ્રસ્ટીઓ તેમજ અન્ય આગેવાનો અને આમંત્રિત મહેમાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલે પોતાના સંબોધનમાં શિક્ષણના મહત્વ પર પ્રકાશ ફેંકતા જણાવ્યું કે નાનપણથી જ શિક્ષણના સારા સંસ્કાર મળે તો બાળકનું ભવિષ્ય શાસ્ત્રોમાંસંશોધનમાં અને સમાજસેવામાં ઉજળું બની શકે છે.આ પ્રસંગે શાળાના શિક્ષકો અને ટ્રસ્ટીઓએ પણ બાળકોને પ્રેરણાદાયક માર્ગદર્શન આપ્યું અને શૈક્ષણિક યાત્રાની શરૂઆત માટે શુભેચ્છાઓ પાઠવી હતી.