ભરૂચ: અંકલેશ્વરમાં સોનું ચમકાવી આપવાના બહાને બે ગઠિયા 5 તોલાના દાગીના લઈ રફુચક્કર,પોલીસે તપાસ શરૂ કરી
અંકલેશ્વર કાપોદ્રામાં વેલ સજાનંદ એપાર્ટમેન્ટમાં મહિલાને સોનુ ચમકાવી આપવાનું કહી બે ગઠિયા પાંચ તોલા સોનુ લઇ ફરાર
BY Connect Gujarat Desk9 May 2022 1:11 PM GMT
X
Connect Gujarat Desk9 May 2022 1:11 PM GMT
અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસે આવેલ સહજાનંદ એપાર્ટમેન્ટમાં રહેતા પૂર્ણિમાબેન દવે ઘરે એકલા હતા તે સમયે બે ઈસમો આવ્યા હતા અને તેઓએ મહિલાને સોનુ ચમકાવી આપવા કહી ચાંદીની વાટકી ચકચકિત કરી આપતા મહિલાએ વિશ્વાસમાં આવી સોનાની ચેઇન, બે સોનાના પાટલા અને મંગળસૂત્ર પણ કઢાવી લીધુ હતું અને લાલ રંગનું કેમિકલ લગાવી મહિલાને તુરત કૂકરમાં પાણી ગરમ કરી હળદર નાખી બે સિટી વગાડવા કહ્યું હતું અને કૂકરમાં સોનાના દાગીના ભેજાબાજોએ નાખી દીધા હતા અને પાંચ મિનિટમાં આવ્યે છે તેમ કહી બન્ને ઈસમો પાંચ તોલા સોનુ લઈને ફરાર થઈ ગયા હતા.બનાવ અંગેની જાણ પોલીસને કરાતા જીઆઈડીસી પોલીસે મામલે વધુ તપાસ હાથ ધરી છે
Next Story