Connect Gujarat
ભરૂચ

જંબુસર : નવયુગ વિદ્યાલય ખાતે નિ:શુલ્ક નેત્ર યજ્ઞ યોજાયો

જંબુસર ખાતે આવેલ નવયુગ વિદ્યાલયમાં 282માં નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

X

જંબુસર ખાતે આવેલ નવયુગ વિદ્યાલયમાં 282માં નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

નવયુગ વિદ્યાલય જંબુસરમાં શંકરા હોસ્પિટલ - મોગર અને તવક્કલ સોલ્ટ કંપની - નાડાના સહયોગથી 282 મો મફત નેત્ર યજ્ઞ યોજાયો હતો. જેમાં ખૂબ મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ લાભ લીધો હતો. વેલ, છારી, ઝામર અને મોતિયાના પીડિત દર્દીઓને શંકરા આઈ હોસ્પિટલ મોગર ખાતે બસમાં લઈ જવામાં આવશે. જ્યાં રહેવા, જમવા સાથે મોતિયાનું ઓપરેશન કરી નેત્રમણી મૂકી, દવા, ચશ્મા તથા પરત મૂકી જવાની તમામ સુવિધાઓ મફત આપવામાં આવશે.

Next Story