નર્મદા : ભરૂચ બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાના સમર્થનમાં ચિક્કાર મેદની વચ્ચે યોજાયું કાર્યકર્તા સંમેલન

લોકસભાની ચૂંટણીના પડઘમ વાગતાની સાથે જ રાજકીય પક્ષોએ પ્રચાર-પ્રસાર શરૂ કરી દીધા છે

New Update
નર્મદા : ભરૂચ બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાના સમર્થનમાં ચિક્કાર મેદની વચ્ચે યોજાયું કાર્યકર્તા સંમેલન

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. જેમાં પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ભરૂચ બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા સહિત હાલમાં જ ભાજપમાં જોડાયેલા આદિવાસી સમાજના દિગ્ગજ નેતા મહેશ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.

લોકસભાની ચૂંટણીના પડઘમ વાગતાની સાથે જ રાજકીય પક્ષોએ પ્રચાર-પ્રસાર શરૂ કરી દીધા છે, ત્યારે ભરૂચ બેઠક પર સતત સાતમી વખત ચૂંટણીના મેદાને આવેલા સાંસદ મનસુખ વસાવાના સમર્થનમાં નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ચિક્કાર મેદની વચ્ચે સંમેલનમાં BTPના પૂર્વ અધ્યક્ષ અને હાલમાં ભાજપમાં જોડાયેલા મહેશ વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ આડકતરી રીતે આપના ઉમેદવાર ચૈતર વસાવાને નવો માણસ ગણાવી વેધક સવાલ કર્યા હતા કે, આ નવો માણસ ક્યાંથી આવ્યો. અમે મનસુખ વસાવાને જંગી મતોથી જીત અપાવીશું. તેઓએ ભાજપમાં જોડાવવા અંગે કહ્યું કે, PM મોદીના વિકાસના કામોના કારણે હું ભાજપમાં જોડાયો છું.

તો બીજી તરફ, ભરૂચ બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ચૈતર વસાવાથી કોઈ ફેર પડવાનો નથી. ડેડીયાપાડા વિસ્તારમાં તેઓએ પ્રજાને ભરમાવી વિધાનસભા જીતી ગયા. આજે મારે એટલે બોલવું પડ્યું કે, ચૈતર વસાવા મારા પ્રત્યે ખોટું બોલી રહ્યા છે. ચૈતર વસાવાએ સેસન્સ કોર્ટમાં નર્મદામાં પ્રવેશ અંગે કોર્ટમાં અરજી કરી, ત્યારે સાંસદ મનસુખ વસાવાએ આ અંગે જણાવ્યું હતું કે, મેં પણ એવું ઈચ્છું છું કે તેમના તમામ કેસ વાઇંડપ થઈ જાય, ચૈતર વસાવા એલફેલ બોલશે તો કોર્ટ હજુ એન્ટ્રી નહીં આપે. આ સાથે જ આ વખતે 5 લાખ કરતા વધુ મતોથી જીતીશુ અને આપના સુપડા સાફ કરીશું તેવી મનસુખ વસાવાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Read the Next Article

ભરૂચ: અષાઢી બીજે 6 સ્થળોએથી નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા, પોલીસ ડ્રોન કેમેરાથી રાખશે નજર

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આવતીકાલે અષાઢી બીજના

New Update

ભરૂચમાં આવતીકાલે કરવામાં આવ્યું આયોજન

6 સ્થળોએથી રથયાત્રાનું આયોજન

પોલીસનો રહેશે ચુસ્ત બંદોબસ્ત

ડ્રોન કેમેરાથી રાખવામાં આવશે નજર

700થી વધુ પોલીસકર્મીઓ રહેશે તૈનાત

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આવતીકાલે અષાઢી બીજના પાવન દિવસે ભરૂચ જિલ્લાભરમાં વિવિધ સ્થળોએ કુલ 6 રથયાત્રાઓ યોજાવાની છે. ભરૂચ શહેરમાં ત્રણ, અંકલેશ્વરમાં બે તથા ઝઘડિયામાં એક રથયાત્રા યોજાવાની છે. ભક્તિભાવ અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.ભરૂચ શહેરની અતિ પૌરાણિક ગણાતી દત્ત મંદિરથી ભોઈવાડ સુધીની રથયાત્રાના માર્ગ પર આજે પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આ ફ્લેગ માર્ચ ફુરજા ચોકથી શરૂ થઈ લાલ બજાર, ચકલા, હાથીખાના બજાર, અને સોનેરીમહલ સુધી યોજાઈ હતી. સમગ્ર ફ્લેગ માર્ચ ડીવાયએસપી  સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ સંપન્ન થઈ હતી.રથયાત્રા દરમ્યાન પોલીસ બંદોબસ્તમાં 3 ડીવાયએસપી, 8 પીઆઈ, 23 પીએસઆઈ, 456 હેડ કોન્સ્ટેબલ તથા પોલીસ જવાનો સાથે 266 હોમગાર્ડનો સમાવેશ થાય છે. ઉપરાંત ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર યાત્રામાર્ગ ઉપર નજર રાખવામાં આવશે.