Connect Gujarat
ભરૂચ

ભાજપ દ્વારા અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા મત વિસ્તારનો નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ યોજાયો...

અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા મત વિસ્તારનો ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

X

માં શારદા ભવન ટાઉન હોલ ખાતે કરવામાં આવ્યું આયોજન

ભાજપ દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહનું કરાયું આયોજન

અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા મત વિસ્તારના આગેવાનો હાજર

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માં શારદા ભવન ટાઉન હોલ ખાતે 154 અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા મત વિસ્તારનો ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય પરંપરા મુજબ લોકો નવા વર્ષની શરૂઆત મિલન, મુલાકાત અને સ્નેહભર્યા વાતાવરણમાં શરૂ કરતા હોય છે, ત્યારે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા દર વર્ષની પરંપરા મુજબ ગત તા. 26 નવેમ્બરના રોજ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માં શારદા ભવન ટાઉન હોલ ખાતે 154 અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા મત વિસ્તારનો નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ યોજાયો હતો.

જેમાં ભારતીય જનતા પાર્ટીના પેજ સમિતિ સભ્યથી લઈને સાંસદ સુધીના ચૂંટાયેલા તથા સંગઠનના સર્વે આગેવાનો અને કાર્યકર્તાઓ તેમજ દરેક સમાજના શ્રેષ્ઠીઓ અને શુભેચ્છકોને નવા વર્ષની શુભકામનો પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રભારી અશોક પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ઉપપ્રમુખ અશોક ઝા, જિલ્લા મહામંત્રી વિનોદ પટેલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ આરતી પટેલ, અંકલેશ્વર તાલુકા સંગઠન પ્રમુખ ડો. નિતેન્દ્રસિંહ દેવધરા સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story