મરહુમ અહેમદ પટેલના દિલ્હીના નિવાસ સ્થાનેથી પરિવારની સત્તાવાર વિદાય

પુત્ર ફૈઝલ પટેલે ભાવનાત્મક વિડીયો શેર કર્યો, હવેથી આ બંગલામાં કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ રહેશે.

New Update
મરહુમ અહેમદ પટેલના દિલ્હીના નિવાસ સ્થાનેથી પરિવારની સત્તાવાર વિદાય

સ્વ. અહેમદ પટેલનું દિલ્હીનું નિવાસ સ્થાન ખાલી કરતાં પુત્ર ફૈઝલ પટેલ દ્વારા ભાવનાત્મક વિડીયો શેર કર્યો હતો. હવેથી આ બંગલામાં કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ રહેશે.

સ્વ. અહેમદ પટેલનું 30 વર્ષથી દિલ્હીમાં નિવાસ સ્થાન 23 મધર ટેરેસા ક્રિસેન્ટમાંથી પરિવારે સત્તાવાર વિદાય લીધી છે. પુત્ર ફૈઝલ પટેલે ટ્વીટર ઉપર 23 મધર ટેરેસા ક્રિસેન્ટ બંગલામાંથી સત્તાવાર વિદાય લેતી વખતે 30 વર્ષની યાદોનો ભાવનાત્મક વિડ્યો મુક્યો છે. તેમણે વિડીયો સાથે ટ્વીટ કર્યું હતું કે, આધુનિક ભારતનું સૌથી શક્તિશાળી સરનામામુ કદી નહિ ભુલાય. મરહૂમ અહેમદ પટેલની આઇકોનીક એમ્બેસેડર કાર જુલાઈમાં જ કર્મ ભૂમિ દિલ્હીથી જન્મભૂમિ પીરામણ લવાઈ હતી. તે સમયે પણ રાષ્ટ્રીય નેતાની કાર સાથે પુત્રએ ટ્વીટ કરી લખ્યું હતું કે, 'બીછડા કુછ ઇસ અદા સે કે ઋત હી બદલ ગઈ, એક શખ્સ સારે શહેર કો વિરાન કર ગયા.'

જોકે હવે આ બંગલો સુરતના સાંસદ અને કેન્દ્રીય રેલ અને ટેક્સટાઇલ મંત્રી દર્શના જરદોશને ફાળવવામાં આવ્યો છે. 23, ક્રિસેન્ટ રોડ, ગ્યારહ મૂર્તિ ખાતે આવેલું આ મકાન એક જમાનામાં દરેક કોંગ્રેસી માટે સત્તાસ્થાન ગણાતુ હતું. અહેમદ પટેલને મળવા માટે અહીં મુખ્યમંત્રીઓ અને સાંસદોની લાઈન લાગતી હતી. મરહૂમ અહમદભાઈની ઘણી યાદો આ બંગલા સાથે સંકળાયેલી છે.

Read the Next Article

ભરૂચ: ઝઘડિયા GIDCની કોહલર ઇન્ડિયા કંપની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ, તલોદરા ગામની જમીન પચાવી પાડી હોવાનો આરોપ

ભરૂચના ઝઘડિયાની કોહલર ઇન્ડિયા કોર્પોરેશન દ્વારા તલોદરા ગ્રામ પંચાયતની જમીન પર બિનઅધિકૃત કબજો કરવામાં આવતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

New Update
  • ભરૂચના ઝઘડિયામાં આવેલી છે કંપની

  • કોહલર ઇન્ડિયા કંપની સામે ફરિયાદ

  • તલોદરા ગ્રામપંચાયતની જમીનનો મામલો

  • જમીન પચાવી પાડી હોવાનો આરોપ

  • કોર્ટમાં દાવો દાખલ કરાયો

ભરૂચના ઝઘડિયાની કોહલર ઇન્ડિયા કોર્પોરેશન દ્વારા તલોદરા ગ્રામ પંચાયતની જમીન પર બિનઅધિકૃત કબજો કરવામાં આવતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ભરૂચના ઝઘડિયા તાલુકામાં આવેલ તલોદરા ગ્રામ પંચાયત દ્વારા પંચાયતની જમીન પર કોહલર ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ બિનઅધિકૃત કબજો કર્યો હોવાનું સામે આવતાં કંપનીના તમામ ડિરેક્ટરો અને મેનેજર સામે ભરૂચ કલેક્ટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે. સાથે જ ઝઘડિયા કોર્ટમાં ગેરકાયદેસર કબજો પરત મેળવવા માટે ન્યાયિક દાવો પણ દાખલ કરાયો છે. આ અંગે એડવોકેટ રાકેશ પરમારે જણાવ્યું હતું કે ઝઘડિયા GIDC વિસ્તારમાં આવેલી કોહલર ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડે તલોદરા ગ્રામ પંચાયતની એવી જમીન પર કબજો કર્યો હતો જેનો સંપાદન પ્રક્રિયાથી કાયદેસર હસ્તાંતર થયો નથી. છતાં કંપનીએ મનસ્વી રીતે જમીન પર કમ્પાઉન્ડ વોલ બનાવતાં, પંચાયત દ્વારા વારંવાર કંપની તથા રેવન્યૂ અધિકારીઓને જમીન મુક્ત કરવાની રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ પરિણામ ન મળતાં તલોદરા ગ્રામ પંચાયતે કંપનીના ડિરેક્ટરો અને મેનેજર સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કલેક્ટર સમક્ષ દાખલ કરાઈ છે તેમજ કોર્ટમાં કબજો પરત લેવા માટે ન્યાયિક કાર્યવાહી શરૂ કરાઈ છે.
Latest Stories